ક્ષણવારમાં અનુભવે છે.એટલે 'હું કોઈ દિવસ દેહ વિના રહી શકીશ જ નહિ' એવો દૃઢ નિશ્ચય
અવિવેકી જીવને બંધાઈ જાય છે,પરંતુ પોતાના ચિન્માત્ર-સ્વ-રૂપમાં રહેનાર જ્ઞાનીને તેવો દૃઢ નિશ્ચય થતો નથી.
અવિવેકી પુરુષનું ચિત્ત સંદેહને લીધે હીંચકા જેવું ચપળ હોવાથી દુઃખિત રહે છે
અને અતિદૃઢ થઇ ગયેલું ભ્રાંતિ-જ્ઞાન,એ તત્વજ્ઞાનના અલ્પ-પ્રયાસ (થોડા અભ્યાસ)થી નિવૃત્ત થતું નથી.