મુનિ કહે છે કે-હું પ્રથમની વાત ભૂલી જઈ વ્યવહારમાં પ્રવૃત્ત થઇ ગયો.'આ આ મારા માતા-પિતા ને આ મારું ઘર છે'
એવી પ્રતિભા પણ મને એકદમ ઉત્પન્ન થઇ આવી.એ ઘરમાં બંધુવર્ગ જોડે હું રહેતો હતો અને જાગ્રત-આદિ અવસ્થાનો
અનુભવ કરતો હતો.એમાં અનેક દિવસો વીત્યાં,ને તે ગામ,ઘર-વગેરે સત્ય હોય તેમ મને જણાવા લાગ્યું.આગળ વર્ણવેલા
દામ,વ્યાલ.કટ ના આખ્યાનમાં કટ પોતે વાસના રહિત હતો છતાં મત્સ્યના સહવાસથી
તે પૂર્વની વાત ભૂલી જઈ મત્સ્ય-રૂપ બની ગયો હતો,તેમ,મને પણ તે ગામના લોકોના સહવાસના અભ્યાસથી,
કાળે કરી,પ્રથમની જ્ઞાન-દ્રષ્ટિનું વિસ્મરણ થઇ ગયું હતું અને હું તે ગામડામાં રહેનાર બ્રાહ્મણ-રૂપ થઇ રહ્યો.