May 28, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1166

મુનિ કહે છે કે-જે અવશ્ય-ભાવિ (વિધાતાએ લખેલું છે) તે કોઈ દિવસ કોઈનાથી એ અન્યથા (બદલી) શકાતું નથી.
કેમ કે આ જન્મના કોઈ પણ પુરુષાર્થ વડે તેની નિવૃત્તિ થતી નથી.જેમ પોતાના દેહની અંદર રહેલા ડાબા-જમણા અંગને
એક જગ્યાએથી બીજી જગ્યાએ મુકવાની પુરુષની શક્તિ નથી,તેમ નિર્માણ થઇ ચૂકેલા ભાવિને બદલવાની મનુષ્યની
શક્તિ નથી.જ્યોતિષ-શાસ્ત્ર-વગેરેથી ભાવિ અર્થની પ્રતીતિ થાય છે,
પણ તેમાંની કોઈ પણ યુક્તિથી ભાવિ બદલી શકવાની મનુષ્યમાં શક્તિ નથી.

May 26, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1165

મુનિ કહે છે કે-જેઓ તત્વના યથાર્થ સ્વરૂપને ઓળખનારા છે,તેઓની દૃષ્ટિમાં ચિદાકાશની અંદર આ વિચિત્ર જગતનું
સ્વરૂપ વિદ્યમાન લાગવા છતાં તે નહિ જેવું જ છે.જેમ ચંદ્ર પર રહેનાર પુરુષની દૃષ્ટિમાં પૃથ્વી પર રહેલા
મનુષ્યો અને પદાર્થોનો સમૂહ (અતિ દૂર હોવાને લીધે)અત્યંત અસત્ય જેવો જ લાગે છે,તેમ,પોતાના આત્માથી
અનન્ય-રૂપે જગતને સમજનાર તત્વજ્ઞની દૃષ્ટિમાં પણ આ જગત (દૃશ્ય-રૂપે) અત્યંત અસત્ય જણાય છે.

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1164






મુનિ કહે છે કે-મેં તમને જે જ્ઞાનનો ઉપદેશ કર્યો છે,તે તમારા હૃદયમાં અલ્પ(નિગૂઢ)રૂપે રહેલું છે,
પરંતુ તે આ દૃશ્ય-રૂપી અનર્થને દબાવી શક્યું નથી.અને અભ્યાસના અભાવે તમે પરમ-મંગલમય જ્ઞાનમાં
વિશ્રાંત થયા નથી.અભ્યાસ વડે જ ઘણા લાંબા કાળે તમે જ્ઞાનમાં વિશ્રાંત પામશો.
હવે હું તમારા ભાવિ વિશેનો નિર્ણય કહું છું તે તમે સાંભળો.તમે જો કે આત્મજ્ઞાન માટે આરંભ કર્યો છે,
છતાં તમે આત્માને 'જ્ઞાનના-સ્થિર-સાર-રૂપે' ઓળખ્યો નથી,તેથી હજુ તમારું ચિત્ત હિંડોળાના જેવું ચપળ છે
અત્યારે તમે મૂર્ખની ગણતરીમાં નથી કે પંડિતની  ગણતરીમાં પણ નથી.