Jul 6, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1200

(૧૭૫) ચિદાકાશ જ અજ્ઞાનથી જગત-રૂપે ભાસે છે

વસિષ્ઠ કહે છે કે-સર્વના આદિ-કારણ-રૂપ-ચિદાકાશ (સ્વપ્નની જેમ) વિવર્ત (આભાસ) ભાવને પામીને,
દૃશ્ય (જગત) ભાવને ધારણ કરી લે છે.ને તે (દૃશ્ય ભાવ) જીવોને દેહના તાદામ્યપણાનો અધ્યાસ થવામાં
મુખ્ય કારણરૂપ થાય છે.આમ,હવે જો પ્રથમ આરંભ સમયમાં દૃશ્ય જેવી કોઈ વસ્તુ જ નથી તો તે ચિદાકાશ,
દેહ-રૂપ કેમ થઇ શકે? એટલે તે સર્વ દૃશ્ય સ્વપ્નના અનુભવ જેવું જ છે.માટે આ સૃષ્ટિ (નરી આંખે) દેખાતાં
છતાં (સ્વપ્નના ઉદાહરણ સિવાય) બીજી કોઈ પ્રકારે સિદ્ધ થઇ શકતી નથી.

Jul 5, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1199

(૧૭૪) નિર્વાણ-પદ વિષે વર્ણન

વસિષ્ઠ કહે છે કે-સૃષ્ટિના આદિકાળમાં કેવળ ચિદાકાશ જ (સ્વપ્નના અનુભવની જેમ)જગત-રૂપે ભાસતું હોય,
તેવું થઇ રહે છે.તેથી ત્રણે લોક બ્રહ્મ-રૂપ જ છે.સૃષ્ટિઓ-એ બ્રહ્મરૂપ સાગરના તરંગ જેવી છે અને તેમાં રહેલ
જ્ઞાન-રૂપ-અનુભવ એ દ્રવ-રૂપ છે.સારી રીતે જ્ઞાનનો ઉદય થતાં વિવેકી પુરુષની દૃષ્ટિમાં સર્વ દૃશ્ય ભ્રાંતિમાત્ર ભાસે છે,
જીવનમુક્તપણાનો ઉદય થવો તે વાસ્તવિક રીતે નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે.
અને તે જ અનંત નિર્વાણ-રૂપ છે.તે જ મોક્ષ કહેવાય છે ને તે જ તુરીય અવસ્થા કહેવાય છે.

Jul 4, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1198

'હું તરંગ-રૂપ નથી પણ જળ-રૂપ છું' એવું જે તરંગે જાણ્યું,તેનો પછી તરંગ-ભાવ ક્યાંથી રહે?
જેમ તરંગ અને તરંગનો અભાવ-એ બંને સમુદ્રના ધર્મો છે,તેમ જગતની પ્રતીતિ અને તેનો અભાવ-એ બંને
બ્રહ્મની એક જાતની 'શક્તિ' છે.પોતાના ચિદ-રૂપને નહિ છોડનાર ચિદાકાશનું 'મન-સમષ્ટિ-રૂપ-ઉપાધિ'માં
(સ્વપ્નની જેમ) પ્રતિબિંબ પડે છે-ત્યારે ઉપાધિ (માયા)વાળું જે કંઈ સ્વરૂપ ખડું થાય છે,
તે જ બ્રહ્મા,પિતામહ-એવા નામો વડે કહેવાય છે.આવી રીતે પ્રથમ પ્રજાપતિ(બ્રહ્મા) પણ
નિરાકાર,નિર્વિકાર છે,અને ચિન્માત્ર-રૂપ તથા (સંકલ્પ-નગરની જેમ) કારણથી રહિત પણ છે.