Aug 17, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1231

જેમ,જળ એ તરંગ-રૂપે જળની અંદર ભ્રમણ કર્યા કરે છે,તેમ એ જ ચેતન-સત્તા શબલ-બ્રહ્મની અંદર,
ભાવ-અભાવ-આદિ રૂપે ડૂબી જાય છે-ને ભમ્યા કરે છે.કે જે 'જીવ'નામને ધારણ કરે છે.
એવી રીતે ભાવના-વાળું તે ચિદાકાશ આકાશ-તન્માત્રાની ભાવનાને પોતાની મેળે જ ઘટ્ટ બનાવે છે,
અને ધીમે ધીમે આકાશને ઉત્પન્ન કરે છે.તે જ ભાવિ નામ-રૂપનું મૂળ સ્વરૂપ છે અને શબ્દ-સમૂહ-રૂપી વૃક્ષનું બીજ છે.
એટલે,પદ,વાક્ય અને પ્રમાણ વડે યુક્ત એવા વેદ અને તેનો અર્થ,એ સર્વ તેનો જ વિલાસ છે.

Aug 16, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1230

જે વસ્તુ,જેવા પ્રકારે અને જેવા સ્વરૂપે બ્રહ્મ-સત્તા વડે સ્ફુરે છે,તે વસ્તુ,તે બ્રહ્મ-સત્તાના બળ(શક્તિ)થી જ્યાં સુધી
નિયમિત રીતે પ્રતીતિમાં આવે છે,ત્યાં સુધી તેને જ (તેની અંદર રહેનાર નિયામક એવા ચિત્ત-સત્તાના અંશને જ)
'નિયતિ' તથા 'સ્વભાવ' આદિ શબ્દ વડે ઓળખવામાં આવે છે.
'ફોતરાં-વાળા ધાન્યની અંદર અપ્રગટ-રૂપે રહેલી અંકુર-શક્તિની જેમ,તે બ્રહ્મ-સત્તા,પોતાના આકાશ-રૂપ-અંગની
અંદર 'શબ્દ-તન્માત્રા'ના જેવી સ્થિતિ વડે અપ્રગટ-રૂપે રહે છે.પછી તેના વડે જ આ દૃશ્ય રચના ઉત્પન્ન થાય છે.'
આવા પ્રકારની કલ્પના અવિવેકીઓને તત્વ-બોધ આપવા શ્રુતિ-મુનિ-આદિએ કરેલી છે.
તેથી આ કલ્પના એ તે બ્રહ્મનું (નિરાકાર-રૂપનું) તાત્વિક-પણું બતાવવા માટે નથી.

Aug 15, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1229

એ જ (ઉપર) પ્રમાણે એક જ ચિન્માત્ર વસ્તુ(બ્રહ્મ)સેંકડો પદાર્થોરૂપ થઇ રહી છે.તે ચિદાકાશરૂપ-જીવની અંદર
જે 'વૃત્તિઓના સ્ફુરણ' જેવું ભાસે છે,તે વૃત્તિઓનું મૂળ અધિષ્ઠાન એ ચેતન-તત્વ (બ્રહ્મ) જ છે,
અને તેની જેવા 'સ્વભાવની કલ્પના' કરવમાં આવી છે,તેવો જ તેનો 'સ્વભાવ' બંધાઈ રહ્યો છે.
સ્વપ્નની જેમ જ જાગ્રતમાં પ્રતીતિમાં આવતાં પૃથ્વી,જળ,વાયુ,તેજ તથા આકાશ એ સર્વ ચિદ-રૂપ છે,
અને તેઓ પોતાનાથી થતાં અનેક કાર્યોની ખાણ-રૂપ છે.તો શબલબ્રહ્મ તેમના ખજાના કે ખાણ-રૂપ છે.