Sep 16, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1255

(૧૯૬) કાવડિયાઓનું આખ્યાન

વાલ્મીકિ કહે છે કે-સુંદર નેત્રવાળા અને મહાબુદ્ધિશાળી,શ્રીરામચંદ્રજી,ઉપર પ્રમાણે કહી,મુહુર્ત-માત્રમાં વિશ્રાંત થયા
અને મૌનપણે પરમપદમાં સ્થિર થઇ ગયા.આમ તે પરમ તૃપ્તિ પામ્યા અને પરમાત્મામાં વિશ્રાંતિ પામ્યા.
તે પોતે હવે સર્વ વાત જાણતા હતા છતાં લીલા વડે વસિષ્ઠ મુનિને ફરીવાર પૂછવા લાગ્યા.

Sep 15, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1254

રામ : પ્રબુદ્ધ અવસ્થામાં તો જગતનો અનુભવ જ થતો નથી પણ અપ્રબુદ્ધ અવસ્થામાં આ સર્વ પ્રતીતિમાં
આવે છે.તે પોતાના અનુભવ વડે જણાય છે અને સદ્રુપ કે અસદ્રુપ ભાસે છે.
સર્વ-શક્તિમાન બ્રહ્મની અંદર ભાવો એ અભાવ-રૂપે અને અભાવો એ ભાવ-રૂપે સર્વદા ભાસતા રહે છે.
બ્રહ્મ જ બ્રહ્મની (એટલે કે ચિદાકાશ જ ચિદાકાશની) અંદર જગતના આકાર-રૂપે વૃદ્ધિ પામે છે,
પરનું વસ્તુતઃ જોતાં ચિદાકાશમાં જગતના આકારે વૃદ્ધિ થવી સંભવતી નથી જ.

Sep 14, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1253

રામ : પછી તે (સંકલ્પ કે કલ્પનાથી) મિથ્યા-રૂપે ખડાં થઇ ગયેલાં જગતની અંદર તે મિથ્યા-પુરુષ,
મિથ્યા-રૂપે જ તેની ક્રિયાઓ કરે છે અને પરિવર્તન પામ્યા કરે છે.તે પોતે જ વ્યષ્ટિ-રૂપ 'જીવ' બનીને,
ઉપરના લોકમાંથી નીચેના લોકમાં  આવે છે તો નીચેના લોકમાંથી ઉપરના લોકમાં પણ જાય છે.
વસ્તુતઃ તો આ જગતનું મિથ્યાપણું પણ નથી કે સત્યપણું પણ નથી,પરંતુ જન્મ-આદિ વિકારથી રહિત
પરમ-તત્વ જ અનિર્વચનીયપણે આ સર્વ-રૂપ થઇ રહેલું છે.એટલે આ જગત પણ આકાશના જેવું સ્વચ્છ છે,
શિલાના ગર્ભ જેવું એકરસ છે અને પાષાણ-મૌનના જેવું શાંત-નિર્વિકલ્પ-અવિનાશી  છે.