એ પ્રશ્નના અનુસંધાનમાં હું હવે કહું છું તે તમે સાંભળો.
ચિદાત્માએ જ આકારની કલ્પના કરી છે.તેથી દાન-આદિના સંસ્કાર વાળી 'બુદ્ધિ' વડે યુક્ત એવા નિરવયવ
જીવો,તેમના સંકલ્પ-બળથી,પરલોકમાં (સ્વપ્નની જેમ) મૂર્તિમાન જણાતા ફળને (કલ્પનાથી) પ્રાપ્ત થાય છે.
બાકી વસ્તુતઃ જોતાં જન્મ-આદિ વિકારથી રહિત ચિદાત્માનો એક વિવર્ત જ છે.
ભ્રાંતિ જ પદાર્થોનો અનુભવ અને અનુભવનો અભાવ-એ બંને રૂપ થઇ રહે છે.
અને એ ભ્રાંતિની શાંતિ થતાં ચિદાત્મા પોતાના નિર્મળ-નિરાકાર-શાંત સ્વરૂપમાં સ્થિર થઈને રહે છે.