Oct 15, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1281

(૨૧૨) બ્રહ્મમાં અહંભાવની કલ્પના

વસિષ્ઠ કહે છે કે-ચિદાકાશ પોતે જ પ્રથમ,પોતાની ચિદસત્તાના બળ(શક્તિ)થી (કલ્પનાથી કે સંકલ્પથી)
જાણે પોતાનામાં 'અહંકાર'નો અધ્યાસ કલ્પી લેતું હોય તેવું બને છે.તે જ 'હિરણ્યગર્ભ' (બ્રહ્મા) છે,
કે જેની અંદર સર્વ જગત રહેલું છે.આ પ્રમાણે વિચાર કરવાથી વસ્તુતઃ બ્રહ્મા પણ નથી,જગત પણ ઉત્પન્ન થયું
નથી અને આ જગત વિદ્યમાન પણ નથી-પરંતુ જન્મ-આદિ વિકારથી રહિત (નિર્વિકાર) પરબ્રહ્મ (ચિદાકાશ)
જ પૂર્વની જેમ યથાસ્થિતપણે રહેલ છે.જો કે અનુભવમાં તો જગત દેખાય છે,પણ તે અવાસ્તવ છે,
ઝાંઝવાના જળની (કે સ્વપ્નની) જેમ મિથ્યા છે અને દેખાતા છતાં સાવ અસત્ય છે.

Oct 14, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1280

વસિષ્ઠ કહે છે કે-જો તમે (તેમને જુઓ છો) એવી ધારણાના અભ્યાસ વડે જોશો તો,દરેક સમયે,તમે દરેકને જોશો,
પણ (તેમને જોતા નથી) એવી ધારણાના અભ્યાસ વડે તેમને નહિ જુઓ તો તે તમારા જોવામાં આવશે નહિ.
સર્વ લોકો એ સર્વત્ર ગતિ કરનારા સિદ્ધોના જ સત્ય-સંકલ્પના બળથી ખડા થાય છે અને તે સર્વત્ર છે.
એટલે આ સર્વ દેખવામાં ધારણાનો અભ્યાસ જ મુખ્ય છે અને તે તમે કર્યો નથી,પણ જો તમે પોતે પણ
યોગ-ધારણાના અભ્યાસથી ધ્યાનને અતિ-સ્થિર કરશો અને પોતાના સંકલ્પથી ખડા થઇ જતાં 'લોકો'ને
સ્થિર કરવા ધારશો તો તેઓ તમારી ઈચ્છા અનુસાર જ વિસ્તાર અને સંપત્તિને ધારણ કરશે.

Oct 13, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1279

જે કંઈ આ દ્વૈત-અદ્વૈત ભાસે છે,તે સર્વ ચક્ષુ-આદિ ઇન્દ્રિય દ્વારા,એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં ગતિ કરતા,
વિષયોના વચમાં રહેલા, નિર્વિષય આત્માના સ્વરૂપથી ભિન્ન નથી,પણ તદ્રુપ જ છે.
વિવેકી તત્વજ્ઞ પુરુષની દૃષ્ટિમાં તો જે કંઈ આ સ્વપ્નતુલ્ય દ્વૈત-અદ્વૈત તથા શુભ-અશુભ પ્રતીતિમાં આવે છે,
તે ચિન્મય છે,અને તેને નિરાવરણ ચિદાકાશની જ ઉપમા આપી શકાય છે.
આ જગત પૂર્ણ એવા ચિદાકાશમાંથી જ પૂર્ણ-રૂપે પ્રસરે છે અને તે પૂર્ણ-રૂપે જ રહેલું છે.
વસ્તુતઃ તો જગત એ ચિદાકાશનો વિલાસ છે,તેથી નિરવયવ અને ચિન્માત્રતત્વ છે.