વાલ્મીકિ કહે છે કે-હે ભરદ્વાજ,આ ઉત્તમ મોક્ષ-સંહિતા (યોગવાસિષ્ઠ)નો પૂર્વકાળમાં,વિધાતાએ,મુનિઓના સમાજમાં
વિચાર કરી એવું કહ્યું છે કે-વસિષ્ઠની વાણી કદી અસત્ય થશે નહિ.
આ કથાનો અંત થતાં સારી બુદ્ધિવાળા યજમાને બ્રાહ્મણોની પૂજા કરી,તેમને જમાડી પોતાની શક્તિ મુજબ તેમને
દાન-દક્ષિણા આપવી.તમારી બુદ્ધિને બોધ થવા માટે સેંકડો કથાઓના ક્રમ વડે યુક્ત,બ્રહ્મ-તત્વનો બોધ કરનારું
અને દૃષ્ટાંત-યુક્તિથી સંઘટીત એવું આ નિર્મળ મોટું શાસ્ત્ર મેં તમને સંભળાવ્યું છે.કે જેનું શ્રવણ કરીને તમે જીવતાં જ
વિમુક્ત ચિત્તવાળા બની જાઓ અને અક્ષય બ્રહ્મ-રૂપે રહો.ને નિત્ય સુખ-રૂપ મુક્તિને પામો.
દાન-દક્ષિણા આપવી.તમારી બુદ્ધિને બોધ થવા માટે સેંકડો કથાઓના ક્રમ વડે યુક્ત,બ્રહ્મ-તત્વનો બોધ કરનારું
અને દૃષ્ટાંત-યુક્તિથી સંઘટીત એવું આ નિર્મળ મોટું શાસ્ત્ર મેં તમને સંભળાવ્યું છે.કે જેનું શ્રવણ કરીને તમે જીવતાં જ
વિમુક્ત ચિત્તવાળા બની જાઓ અને અક્ષય બ્રહ્મ-રૂપે રહો.ને નિત્ય સુખ-રૂપ મુક્તિને પામો.