Oct 23, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1289-END

અગસ્તિ (સુતીક્ષ્ણને) કહે છે કે-કારુણ્યે તે પછી વિવાહ કર્યો અને કર્માંધિકારને પ્રાપ્ત થઇ,યથોચિત કાળમાં
ન્યાયને અનુસરીને વ્યવહારનાં કર્મો કરવા લાગ્યો.હે સુતીક્ષ્ણ,જ્ઞાન થયા પછી થતા એવા કર્મના સંબંધમાં,
એ કર્મ બંધન-કારક થશે એવો સંશય રાખવો નહિ,કેમ કે સંશયને લીધે સ્વાર્થથી ભ્રષ્ટ થવાય છે.
જેના આત્મામાં સંશય હોય તે પુરુષ છેવટે વિનાશને (અનિષ્ટ પરિણામને) પ્રાપ્ત થાય છે.