Aug 16, 2019

ભાગવત રહસ્ય-૩૪

પ્રેમમાં કંઈ લેવાની ઈચ્છા થતી નથી. પ્રેમમાં સર્વ-સમર્પણની ભાવના થાય છે.આપવાની- ભાવના થાય છે.મોહ –ભોગ –માગે છે.જયારે પ્રેમ-ભોગ- આપે છે. પ્રેમમાં માગણી ના હોય. પ્રેમમાં માગણી આવી એટલે સાચો પ્રેમ ગયો-સમજવો. ભક્તિમાં -માંગો એટલે માગેલી વસ્તુ મળશે ખરી-પણ ભગવાન જશે.

Aug 15, 2019

ભાગવત રહસ્ય-૩૩

અંધારામાં પડેલું દોરડું-સર્પ રૂપે ભાસે છે. પરંતુ પ્રકાશ પડતા –તેના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે.એ ---રજ્જુ-સર્પ ન્યાયે-આ સંસાર અસત્ય હોવા છતાં –માનવીને અજ્ઞાનને કારણે (અજ્ઞાનના અંધારાના કારણે) -તે સત્ય હોય તેમ ભાસે છે.જગતનો ભાસ ઈશ્વરના અજ્ઞાનમાંથી થાય છે. ઈશ્વરનું જ્ઞાન નથી એટલે તેમને જગત સત્ય –જેવું- લાગે છે.

Aug 14, 2019

ભાગવત રહસ્ય-૩૨

પરમાત્મા શ્રીકૃષ્ણને પોતાના–સર્વ વિનાશ---માં પણ આનંદ છે.
મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું છે. શ્રીકૃષ્ણ ગાંધારીને મળવા આવે છે. ગાંધારીએ શ્રાપ આપ્યો છે.—મારા વંશમાં તેં એકે ને ય રહેવા દીધો નહિ.-જા-તારા વંશમાં પણ કોઈ રહેશે નહિ.
પણ તેથી શ્રીકૃષ્ણ ખુશ થાય છે.તેઓ કહે છે કે – મા,હું વિચાર કરતો હતો કે આ બધાનો વિનાશ કેવી રીતે કરવો ? સારું થયું –તમે શ્રાપ આપ્યો.