પ્રચેતાઓ (દસ) –એ પ્રાચીનર્બહી રાજાના પુત્રો છે.ભાગવતમાં લખ્યું છે-કે-પ્રચેતાઓએ,એક બે વર્ષ નહિ,પણ દસ હજાર વર્ષ સુધી નારાયણ સરોવરના કિનારે જપ કરેલા.ત્યારે તેમની સમક્ષ નારાયણ ભગવાન પ્રગટ થયેલા.જપ કરવાથી અજ્ઞાનનું આવરણ દૂર થાય છે,મન શુદ્ધ થાય છે અને જીવન સુધરે છે.રામદાસ સ્વામીએ દાસબોધમાં અનુભવથી લખ્યું છે-કે-તેર કરોડ જપ કરવાથી ઈશ્વરના સાક્ષાત દર્શન થાય છે.જપથી પૂર્વજન્મના પાપ બળે છે. જપનું ફળ તરત જોવામાં ના આવે તો –માનવું કે હજુ પાપ બાકી છે-તેનો નાશ થઇ રહ્યો છે.
Dec 9, 2019
Dec 8, 2019
ભાગવત રહસ્ય-૧૩૩
જરા-(વૃદ્ધાવસ્થા) સાથે લગ્ન થયા પછી પુરંજનની દશા બગડી છે. શરીર વૃદ્ધ થયું છે.
ભોગ ભોગવે એને –જરા-વૃદ્ધાવસ્થા વળગે છે. યોગીને જરા-અવસ્થા વળગી શકે નહિ.
જવાની એ "જવા" ની જ છે. વૃદ્ધાવસ્થામાં વાસના વૃદ્ધ થતી નથી,મોહ છૂટતો નથી.
ને પછી –મૃત્યુનો સેવક-પ્રજ્વાર આવે છે.(પ્રજ્વાર એટલે અંતકાળનો જ્વર (તાવ).
સ્ત્રી માં અતિ આશક હોવાથી –અંતકાળમાં સ્ત્રીનું ચિંતન કરતાં-શરીર છોડવાથી –પુરંજન –વિદર્ભ નગરીમાં કન્યા-રૂપે જન્મ્યો.
ભોગ ભોગવે એને –જરા-વૃદ્ધાવસ્થા વળગે છે. યોગીને જરા-અવસ્થા વળગી શકે નહિ.
જવાની એ "જવા" ની જ છે. વૃદ્ધાવસ્થામાં વાસના વૃદ્ધ થતી નથી,મોહ છૂટતો નથી.
ને પછી –મૃત્યુનો સેવક-પ્રજ્વાર આવે છે.(પ્રજ્વાર એટલે અંતકાળનો જ્વર (તાવ).
સ્ત્રી માં અતિ આશક હોવાથી –અંતકાળમાં સ્ત્રીનું ચિંતન કરતાં-શરીર છોડવાથી –પુરંજન –વિદર્ભ નગરીમાં કન્યા-રૂપે જન્મ્યો.
Dec 7, 2019
ભાગવત રહસ્ય-૧૩૨
તે સમયે નારદજી પ્રાચીનર્બહિ રાજા પાસે આવ્યા છે. રાજા કર્મપ્રધાન છે. અનેક યજ્ઞો તેમણે કર્યા હતા.નારદજી રાજાને પૂછે છે-તમે અનેક યજ્ઞો કર્યા,(કર્મો કર્યા) તમને શાંતિ પ્રાપ્ત થઇ –કે નથી થઇ ? રાજા કહે છે –ના-મન ને શાંતિ નથી.મને શાંતિ મળી નથી.નારદજી : તો પછી આ યજ્ઞો (કર્મો) તમે શા માટે કરો છો ?
રાજા : મને પ્રભુએ બહુ આપ્યું છે.તેથી વાપરવામાં સંકોચ રાખતો નથી, બ્રાહ્મણો ની સેવા કરું છું, યજ્ઞ દ્વારા સમાજસેવામાં સંપત્તિનો ઉપયોગ થાય છે-એટલે યજ્ઞો કરું છું.
રાજા : મને પ્રભુએ બહુ આપ્યું છે.તેથી વાપરવામાં સંકોચ રાખતો નથી, બ્રાહ્મણો ની સેવા કરું છું, યજ્ઞ દ્વારા સમાજસેવામાં સંપત્તિનો ઉપયોગ થાય છે-એટલે યજ્ઞો કરું છું.
Subscribe to:
Posts (Atom)