સમતા ઈશ્વરની છે-પણ જે વિષમતા દેખાય છે –તે માયાની છે.ઈશ્વરના અધિષ્ઠાનમાં (આધારમાં) માયા ક્રિયા કરે છે-એટલે માયા જે કાંઇ ક્રિયા કરે- તેનો આરોપ ઈશ્વર પર કરવામાં આવે છે.ઉદાહરણ તરીકે-દીવો કંઈ કરતો નથી પણ દીવો ન હોય તો કંઈ થઇ શકતું નથી.નાનો બાળક જમવા બેઠો હોય અને બાળક વધુ માગે –તો પણ મા તેને વધારે ખાવા આપતી નથી. મા વિચારે છે-કે વધુ ખાશે અને પચશે નહિ તો ઝાડા થઇ જશે, જયારે મા નો સોળ વર્ષ નો છોકરો બહારથી આવે તો વગર માગ્યે મા બે રોટલી વધારે આપશે.વિચારે છે કે બહાર રમવા જશે તો બધું પચી જશે અને છોકરો તગડો થશે.
Jan 13, 2020
Jan 12, 2020
ભાગવત રહસ્ય-૧૫૬ –સ્કંધ-૭
છઠ્ઠા સ્કંધમાં પુષ્ટિ-અનુગ્રહની કથા આવી.ભગવદ-અનુગ્રહ થયા પછી-જીવ અનુગ્રહનો સદુપયોગ (વાસનાનો નાશ અને (પ્રભુસ્મરણમાં) કરે તો તે પુષ્ટ બને છે-અને દુરુપયોગ કરે તો તે દુષ્ટ બને છે.હવે આવશે-હિરણ્યકશિપુ અને પ્રહલાદ ની કથા.હિરણ્યકશિપુ -એ શક્તિ-સંપત્તિનો ઉપયોગ ભોગ ભોગવવામાં કર્યો-તેથી તે બન્યો દૈત્ય.પ્રહલાદે સમય, શક્તિનો ઉપયોગ પ્રભુભક્તિમાં કર્યો-તેથી તે બન્યો દેવ.
Jan 11, 2020
ભાગવત રહસ્ય-૧૫૫
ચિત્રકેતુ રાજાએ પછી તપશ્ચર્યા કરી અને ભગવાનના નામના જપ કર્યા. સગુણ ભગવાનના દર્શન થયા.રાજા મહાયોગી-મહાસિદ્ધ થયો. પ્રભુએ કૃપા કરી તેને પોતાનો પાર્ષદ બનાવ્યો.એક દિવસ તે આકાશમાં વિહાર કરતો હતો.ફરતો ફરતો તે કૈલાશધામમાં આવ્યો. જોયું તો શિવજીની ગોદમાં પાર્વતીજી બેઠાં છે.તેમને આ પ્રમાણે બેઠેલા જોઈ ચિત્રકેતુના મનમાં કુભાવ આવ્યો.
Subscribe to:
Posts (Atom)