એકનાથ મહારાજ આખો દિવસ પ્રભુ સેવા –પ્રભુ ભજન કરતા.સેવાના અવિરત શ્રમથી તેઓ થાકી જતા.આવી ઉદાત્ત ભક્તિ જોઈને ઈશ્વરને પણ તેમની પર દયા આવી. “મારો ભક્ત –મારા માટે કેટલો શ્રમ ઉઠાવે છે ? ચાલ હું જઈ તેને તેના કાર્યમાં મદદ કરું.”
ભગવાન બ્રાહ્મણનું રૂપ ધરી એકનાથને ત્યાં આવ્યા છે.આવીને કહે છે-“ભાઈ, મને તમારે ત્યાં નોકર રાખો”
બહુ ભણેલો ના હોય- હોય તો તે ચમત્કાર વગર પણ નમસ્કાર કરે છે.અભણ મનુષ્ય શ્રદ્ધા રાખે છે.બહુ ભણેલાને શ્રદ્ધા થતી નથી.વ્યવહારમાં પણ શ્રદ્ધા રાખવી પડે છે.ડોક્ટરોના બધા કેસ સારા થતાં જ હોય છે તેવું હોતું નથી, તેમ છતાં તે સારું કરશે જ એવી શ્રદ્ધા રાખવી પડે છે.ડોક્ટરને જઈ કોઈ કહે કે પહેલાં ચમત્કાર બતાવો તો તે બતાવી શકે નહિ.ડોક્ટરમાં વિશ્વાસ ન રાખો તે દવા આપે નહિ અને દવા પેટમાં ન જાય ત્યાં સુધી રોગ જતો નથી.આવી જ રીતે સેવા માર્ગ માં –પરમાર્થમાં-શ્રદ્ધા રાખવી પડે છે.
જ્ઞાની પુરુષો સર્વમાં ભગવદદૃષ્ટિ રાખે છે.દૃશ્ય (સંસાર) માંથી દૃષ્ટિ હટાવી,અને સર્વને જોનાર (દ્રષ્ટા-સાક્ષી) પરમાત્માના સ્વરૂપમાં દૃષ્ટિ સ્થિર કરે છે.
જ્ઞાની કહે છે-કે-જે દેખાય છે (દૃશ્ય-સંસાર) તેની સાથે પ્રેમ કરીશ નહિ,પણ દ્રષ્ટા –પરમાત્મામાં જ પ્રેમ કર.ઈશ્વર એ દ્રષ્ટા છે-તે દૃશ્ય નથી. ઈશ્વરમાં દ્રશ્યત્વનો આરોપ માયાથી થાય છે.જે સર્વનો દ્રષ્ટા-સાક્ષી છે-તેને જાણવો સહેલો તો નથી જ. જેને પૂર્ણ વૈરાગ્ય નથી તેને આ “જ્ઞાન”નો અનુભવ થવો અઘરો છે.માટે આપણા જેવા માટે ભક્તિ માર્ગ સારો છે. જે બધું દેખાય છે-તે સર્વ ઈશ્વરમય છે.