Feb 1, 2020

ભાગવત રહસ્ય-૧૭૬

પ્રહલાદ કહે છે-કે –“નાથ,એવી કૃપા કરો કે-સંસારનું કોઈ સુખ ભોગવવાનો વિચાર પણ મનમાં ના આવે. કોઈ પણ પ્રકારનાં ઇન્દ્રિયોનાં સુખ ભોગવાની ઈચ્છા જ ન થાય, મારા હૃદયમાં કોઈ દિવસ કામનાનું બીજ અંકુરિત ન થાય,
કોઈ કામનાઓનો અંકુર રહે જ નહિ-તેવું વરદાન આપો.”

Jan 31, 2020

ભાગવત રહસ્ય-૧૭૫

નૃસિંહ ભગવાન પ્રહલાદને સમજાવે છે-કે-“મનુષ્યો સુખી થાય,વિવેકથી ભોગ ભોગવે –એટલે સંસારને મેં સુંદર બનાવ્યો છે.હું સુંદર છું –એટલે મેં બનાવેલો સંસાર પણ મારા જેવો સુંદર થઇ ગયો. એમાં મારો શું વાંક? એ મારી ભૂલ નથી,પણ મનુષ્ય સંસારમાં અતિશય આસક્ત થઇ, મર્યાદા બાજુએ મૂકી, વિવેક રાખતો નથી અને આ સંસારના પદાર્થો ભોગવે છે–અને દુઃખી થાય –તો તે તેમનો દોષ છે. ભૂલ છે.પણ મનુષ્ય જો મર્યાદામાં રહી, વિવેકથી જો સંસારના આ પદાર્થોને ભોગવે તો તે સુખી થાય.”

Jan 30, 2020

ભાગવત રહસ્ય-૧૭૪

પ્રહલાદ નૃસિંહસ્વામીની સ્તુતિ કરે છે-હે નાથ,તમારાં મંગલમય સદગુણોનું હું શું વર્ણન કરું? બ્રહ્માદિ દેવો પણ તમારી લીલાને જાણી શકતા નથી.હવે આપ ક્રોધ ન કરો. મારા પિતા કંટકરૂપ હતા,તેથી આપે તેનો વધ કર્યો,તે સારું થયું.આ તમારું ભયંકર સ્વરૂપ જોઈને દેવોને પણ બીક લાગે છે.પરંતુ મને બીક લાગતી નથી. ખરું કહું તો મને આ સંસારની બીક લાગે છે. સંસારને જયારે હું નિહાળું છું ત્યારે મને ગભરામણ થાય છે.