Feb 12, 2020

ભાગવત રહસ્ય-૧૮૭

લક્ષ્મીજી તો નારાયણને જ વરે છે.જેનું હૃદય -પ્રેમમય,કોમળ અને મૃદુ હોય અને- એમાં નારાયણનો વાસ હોય, તેને ત્યાં લક્ષ્મી આવે છે.લક્ષ્મીજીએ વરમાળા અર્પણ કરી ત્યારે ભગવાન ચારે બાજુ જોવા લાગ્યા.ત્યાં સુધી ભગવાનની નજર ધરતી પર હતી.જેની પાસે પૈસો હોય તેને આજુ બાજુ ચારે બાજુ નજર રાખવાની અને સર્વના દુઃખો દૂર કરવાનાં.તો જ લક્ષ્મી ,ઘરમાં અખંડ વિરાજશે. આજકાલ લોકોને પૈસા મળ્યા પછી,તેમને બીજું કંઈ દેખાતું નથી.હું મારી અલી, અને બાબો.

Feb 11, 2020

ભાગવત રહસ્ય-૧૮૬

સમુદ્રમંથનમાંથી તે પછી-કામધેનું ગાયમાતા બહાર આવ્યા છે.પહેલાં સંપત્તિ આવે છે-તેનો ઉપયોગ પરોપકારમાં કરજો. કામધેનું એ સંતોષનું પ્રતિક છે.
કામધેનું ગાયનું બ્રાહ્મણો ને દાન કરવામાં આવ્યું.જેને આંગણે સંતોષ-રૂપી ગાય હોય એ બ્રાહ્મણ બ્રહ્મનિષ્ઠ છે.બ્રાહ્મણનું જીવન અતિસાત્વિક હોવું જોઈએ.
તે પછી ઉચ્ચૈ:શ્રવા નામનો ઘોડો નીકળ્યો છે.ઘોડો જોઈ દૈત્યોનું મન લલચાય છે. તે દૈત્યોને આપ્યો છે.

Feb 10, 2020

ભાગવત રહસ્ય-૧૮૫

સમુદ્ર-મંથન કરતાં- સમુદ્રમાંથી સહુથી પહેલાં ઝેર નીકળ્યું.
મનને સ્થિર રાખી જે પ્રભુ પાછળ પડે છે-તો પહેલું ઝેર મળે છે.ભગવાન કસોટી કરે છે.ઝેર સહન કરે તો પછી અમૃત મળે છે.મહા પુરુષોએ ઝેર પચાવ્યું,દુઃખ સહન કર્યું-એટલે એમને ભક્તિરૂપી અમૃત મળ્યું છે.
નિંદા એ ઝેર છે,કર્કશ વાણી એ ઝેર છે.પ્રતિકૂળ પરિસ્થિતિ એ ઝેર છે.
દુઃખી થયા વગર આ ઝેર સહન કરવાનું છે. તો અમૃત મળે છે.