Mar 21, 2020

ભાગવત રહસ્ય -૨૨૧

ભગવાન શંકર -રામાયણના- આચાર્ય છે.
એક વખત દેવો,ઋષિઓ અને રાક્ષસો –શિવજી પાસે રામાયણની માગણી કરવા ગયા.
કહે છે-કે- અમારે રામાયણનો પાઠ કરવો છે.રામાયણના શ્લોકના ત્રણ સરખા ભાગ કરતાં-અને વહેંચણી બાદ એક શ્લોક વધ્યો.તેના માટે ત્રણે ઝગડો કરવા લાગ્યા. શિવજીને ઝગડો ગમતો નથી.

Mar 20, 2020

ભાગવત રહસ્ય -૨૨૦

રામજી દુશ્મન સાથે પણ સરળ છે. રાવણ સાથે પણ સરળ છે.યુદ્ધ વખતે રાવણનું બખ્તર ફાટી ગયું છે,સારથી મરાઈ ગયો છે,રાવણ ઘાયલ છે-થાકી ગયેલો છે.
રામજીની જગ્યાએ બીજો કોઈ હોત તો દુશ્મનની લાચારી નો લાભ લઇ તેને મારી નાખે,પણ રામજીએ રાવણને કહ્યું-કે-અત્યારે તમે ઘરે જાઓ,ભોજન કરો –આરામ કરો, આવતી કાલે યુદ્ધ કરવા આવજો.જગતમાં એવો કોઈ થયો નથી કે-જે શત્રુને કહે કે-આરામ કરો,ઘેર જાઓ અને ભોજન કરો.

Mar 19, 2020

ભાગવત રહસ્ય -૨૧૯

નિર્દોષ એક ઈશ્વર છે. સંભવ છે કે ગુરુમાં કોઈ દોષ રહી જાય.પણ ગુરુના દોષનું શિષ્યે અનુકરણ કરવાનું નથી. વડીલોનું જે પવિત્ર –આચરણ છે-તેનું જ અનુકરણ કરવાનું છે,તેમની ભૂલનું નહિ.વડીલોના દોષનું અનુકરણ કરવું નહિ.
એક વખત-ચાર વેદ અને છ શાસ્ત્રનું અધ્યયન પૂરું કરીને શિષ્ય ગુરુ પાસે,ઘેર જવાની રજા માગવા આવ્યો-ત્યારે ગુરુજી છેલ્લો ઉપદેશ આપે છે-કે-