Mar 27, 2020

ભાગવત રહસ્ય -૨૨૭

અગ્નયે સ્વાહા,પ્રજાપતયે સ્વાહા-વિશ્વામિત્ર અગ્નિમાં આહુતિ આપે છે,
પણ નિહાળે છે-રામ-લક્ષ્મણ ને.બ્રાહ્મણ યજ્ઞ કરે ત્યારે તેની નજર અગ્નિ પર હોવી જોઈએ.બ્રાહ્મણ પરમાત્માના મુખ માં આહુતિ આપે છે.
શ્રુતિ વર્ણન કરે છે-કે-અગ્નિ એ પરમાત્માનું મુખ છે.અગ્નિરૂપી મુખથી પરમાત્મા આરોગે છે.અગ્નિની જ્વાળા એ પરમાત્માની જીભ છે.પણ અહીં વિશ્વામિત્ર આહુતિ યજ્ઞકુંડમાં અગ્નિને આપે છે-પણ નજર રામ પર સ્થિર કરી છે.

Mar 26, 2020

ભાગવત રહસ્ય -૨૨૬

વિશ્વામિત્રની પાછળ પાછળ રામ-લક્ષ્મણ ચાલે છે.જંગલ માંથી પસાર થતા હતા-ત્યાં-
રસ્તામાં તાડકા નામની રાક્ષસી આવી.વિશ્વામિત્રે કહ્યું કે-આ ભયંકર રાક્ષસી બાળકો ની હિંસા કરે છે-માટે તેને તમે મારો.
કૃષ્ણલીલાનો આરંભ પૂતના રાક્ષસીના વધથી થયો છે-રામલીલ નો તાડકા રાક્ષસીના વધ થી થયો છે.તાડકા એ “વાસના” છે-વાસના શાંત થાય છે “વિવેકથી”
રામજી તાડકાને વિવેકરૂપી બાણ મારે છે-તાડકાનો ઉદ્ધાર કર્યો.

Mar 25, 2020

ભાગવત રહસ્ય -૨૨૫

ત્યારે વશિષ્ઠજી દશરથને સમજાવે છે-“વિશ્વામિત્ર પવિત્ર બ્રાહ્મણ છે,તેમની સેવા કરશે તો રામ સુખી થશે.તમે ના પાડો તે સારું નહિ, ગઈકાલે રામની જન્મ-પત્રિકા મારા હાથ માં આવી હતી,તે જોતાં એમ લાગે છે-કે-આ વર્ષ માં રામજીના લગ્નનો યોગ છે,અતિસુંદર રાજ-કન્યા સાથે રામજીના લગ્ન થશે.માટે તેઓને મોકલો,હું માનુ છું કે વિશ્વામિત્ર અહીં આવ્યા છે-તે કદાચ રામના લગ્ન કરાવવા માટે જ આવ્યા છે”