Mar 31, 2020

ભાગવત રહસ્ય -૨૩૧

મોટા મંડપની અંદર સીતાજીનો સ્વયંવર રચાયો છે.વિશ્વામિત્ર,રામ-લક્ષ્મણની સાથે પધાર્યા છે.જનકજીએ જાહેર કર્યું-પૃથ્વીને નક્ષત્રી કરી,પરશુરામજીએ આ શંકર ભગવાનનું ધનુષ્ય મારા ઘરમાં રાખ્યું છે,હજાર યોદ્ધાઓ ભેગા મળે ત્યારે જ આને ઉઠાવી શકે છે. મારી દીકરી સીતા –ત્રણ વર્ષની હતી –ત્યારે આ ધનુષ્યનો ઘોડો બનાવીને રમતી હતી,માટે જે કોઈ આ ધનુષ્યને ઉઠાવશે,અને તેની પણછ ચડાવશે-તેને હું મારી કન્યા પરણાવીશ.

Mar 30, 2020

ભાગવત રહસ્ય -૨૩૦

જનક મહાજ્ઞાની છે.સંસારમાં રહે છે-પણ જનકરાજાના “મન” માં સંસાર નથી.
સંસારમાં રહેવાથી પાપ થતું નથી પણ સંસારને મનમાં રાખવાથી પાપ થાય છે.
ગીતામાં બીજા કોઈ રાજાનાં વખાણ કર્યા નથી પણ શ્રીકૃષ્ણે જનકરાજાના વખાણ કર્યા છે-લખ્યું છે-કે-“જનક રાજાએ કર્મ દ્વારા જ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી હતી.”
જનકરાજાની સતત આત્મદૃષ્ટિ હતી. સતત એક જ ભાવના હતી કે “હું શરીર નહિ-શુદ્ધ ચેતન આત્મા છું”

Mar 29, 2020

ભાગવત રહસ્ય -૨૨૯

રામ-લક્ષ્મણ,વિશ્વામિત્ર ની સાથે જનકપુરીમાં આવ્યા છે. ગામની બહાર આંબાવાડી માં મુકામ કર્યો છે.જનકપુરીના રાજા જનકને ખબર પડી કે ઋષિ વિશ્વામિત્ર આવ્યા છે-એટલે તેમનું સ્વાગત કરવા તે –આવ્યા છે.ઋષિની સાથે કુમારોને જોઈને જનક વિચારે છે-કે-આ ઋષિકુમારો છે-કે રાજકુમારો ?
જનક નિશ્ચય કરી શક્યા નહિ. તેમણે વિશ્વામિત્ર ને પૂછ્યું-આ બાળકો કોણ છે ?
વિશ્વામિત્રે કહ્યું કે તમે તો જ્ઞાની છો- તમે જ નિર્ણય કરો કે આ કોણ છે ?