સમાધિમાં બેઠા પહેલાં યોગીઓને મન અને સર્વ ઇન્દ્રિયો સાથે ઝગડો કરવો પડે છે.ઈન્દ્રિયોને કાબુમાં રાખી તેના બધા દરવાજા બંધ કરવા પડે છે.આંખ બંધ કરવી પડે છે,નાક બંધ કરવું પડે છે.તેમ છતાં વાસના રૂપી ધૂળ ક્યારે ઘુસી જાય છે તે ખબર પડતી નથી.તેથી જ્ઞાનમાર્ગને કઠણ માન્યો છે,જ્ઞાનમાર્ગમાં પતનનો ભય હોય છે.જયારે-ભક્તિમાર્ગમાં ઇન્દ્રિયો જોડે ઝગડો નથી,ભક્તિમાર્ગમાં આંખ અને સર્વ ઇન્દ્રિયો શ્રીકૃષ્ણને આપવાની હોય છે.
May 22, 2020
May 21, 2020
ભાગવત રહસ્ય -૨૮૧
દશમ સ્કંધ એ શ્રીકૃષ્ણ ભગવાનનું હૃદય છે.પરમાત્મા રસ-સ્વ-રૂપ છે. અને તેથી જીવ (આત્મા) પણ રસ-રૂપ છે.મનુષ્યને કોઈ ને કોઈ રસમાં રુચિ હોય છે,ભલે કોઈ પણ રસમાં રુચિ હોય પણ કૃષ્ણ-કથા આનંદ આપે છે.વિરહ કે પ્રેમમાં હૃદય આર્દ્ર બને છે-ત્યારે રસાનુભૂતિ (રસની અનુભૂતિ) થાય છે.
સાધારણ રીતે જીવો ના ચાર ભેદ છે, પામર,વિષયી,મુમુક્ષુ,મુક્ત.
સાધારણ રીતે જીવો ના ચાર ભેદ છે, પામર,વિષયી,મુમુક્ષુ,મુક્ત.
May 20, 2020
ભાગવત રહસ્ય -૨૮૦
આ કૃષ્ણ કથામાં હાસ્યરસ છે,વીરરસ છે,શૃંગારરસ છે,કરુણ રસ છે, અને ભયાનકરસ પણ છે.તમામ જાતના રસો આમાં ભર્યા છે.કારણ શ્રીકૃષ્ણ પોતે જ રસ-રૂપ છે.(રસો વૈ સ:) મહાપુરુષો હસતા પણ નથી અને રડતા પણ નથી,તેઓ તો શાંતરસમાં-પોતાના સ્વ-રૂપમાં સ્થિર રહે છે.પણ શ્રીકૃષ્ણની બાળલીલાઓ એવી છે-કે-શુકદેવજીને પણ હસાવે છે.બાળલીલા માં હાસ્યરસ છે,રાસલીલામાં કરુણરસ છે –તેમજ શૃંગારરસ પણ છે.ચાણુર,મુષ્ટિક.કંસ વગેરેને મારે છે-ત્યારે વીરરસ ઝળકે છે.
Subscribe to:
Posts (Atom)