Jun 15, 2020

ભાગવત રહસ્ય -૩૦૫

પૂતના રાક્ષસી છે.પણ સ્વરૂપને બદલી ને આવી છે.સુંદર દાગીના પહેર્યા છે ને હાથમાં કમળ છે.તેમ વાસના બહારથી રળિયામણી લાગે છે,પણ અંદરથી તો તે રાક્ષસી છે.
પૂતના ત્રણ વર્ષના બાળકને મારે છે,ચાર કે ચારથી વધુ ઉમરના બાળકોને મારતી નથી. કેમ ??તો-તેની પાછળના જુદા જુદા તર્કો બતાવ્યા છે.

Jun 13, 2020

ભાગવત રહસ્ય -૩૦૪

કંસને જયારે યોગમાયાએ આકાશવાણી દ્વારા કહ્યું કે-તારો કાળ જન્મી ચુક્યો છે.તેથી કંસ ગભરાયો.કંસના પોતાના માણસોએ તેને કહ્યું કે-જન્મ થયો એટલે હજુ એ બાળક જ હશે.આપ આજ્ઞા કરો તો ગોકુળનાં તૂરતનાં જન્મેલાંથી ત્રણ વર્ષ સુધીનાં-તમામ બાળકોને મારી નાખીએ.“તો ના રહે બાંસ ના રહે બાંસુરી “ અને કંસે મંજૂરી આપી.
અને આમ નક્કી થયા મુજબ –ત્રણ વર્ષ સુધીનાં તમામ બાળકોને મારી નાખવા -પૂતના (રાક્ષસી) ને ગોકુળ તરફ રવાના કરવામાં આવી.

Jun 12, 2020

ભાગવત રહસ્ય -૩૦૩

મહાત્માઓ કહે છે-કે-“તમારો મિત્ર તમને મળે તો –તમારાં સુખ,સંપત્તિને તમારી માન-બડાઈની વાતો તેને ન કરો.પણ તેને શું અડચણ છે,તે પૂછો.મિત્રના સુખદુઃખની વાતો કરી તેણે દિલાસો આપો.દુઃખીને દિલાસો આપવો તે મહાન પુણ્ય છે.દુઃખીને તમારાં સુખની વાતો સંભળાવશો નહિ.”ઘણા મનુષ્યો તો બીજાને મળે ત્યારે પોતાની જ વાતો કરે છે.”મને માન-પત્ર મળ્યું,મારો વરઘોડો કાઢ્યો” એ બહુ સારું નથી.