Jul 10, 2020

ભાગવત રહસ્ય -૩૨૮

યશોદાજી ગોપીને પૂછે છે કે-અરી,સખી,કનૈયો તારે ત્યાં ચોરી કરવા આવે છે,તેની તને ખબર પડે છે કે નહિ? ત્યારે ગોપી કહે છે કે-મા,કનૈયો આવવાનો હોય તેની અમને ખબર પડે છે.જે દિવસે ઘેર આવવાનો હોય તેને આગલે દિવસે,સ્વપ્નમાં પણ દેખાય છે. મા,ઘરનું બધું કામ પૂરું કર્યા પછી,હું પથારીમાં પડું છું અને મને કનૈયો યાદ આવે છે,
શ્રીકૃષ્ણનું ચિંતન કરતાં કરતાં નિંદ્રા આવી અને મને સ્વપ્નમાં દેખાયું કે –કનૈયો મારા ઘેર આવ્યો છે,અને મિત્રોને માખણ લુંટાવે છે.

Jul 9, 2020

ભાગવત રહસ્ય -૩૨૭

જીવ ખૂબ જ નમ્ર બને અને સાધન કરે તો તે ઈશ્વરને ગમે છે,અને ઈશ્વર તેના પર કૃપા કરે છે.નિઃસાધન બની જે ભક્તિ કરે તે શ્રેષ્ઠ છે.નિઃસાધન બનવું એટલે –સાધન બધાં કરવાના પણ માનવાનું કે મારા હાથે કંઈ થતું નથી-એમ માનવું તે.એવા નિરાભિમાની થવાનું છે.પણ ઘણી વખત એવું થાય છે કે –મનુષ્ય સાધન કરે અને સાધનનું અભિમાન વધવા માંડે –એટલે તે પડે છે.પડવાનું નહિ પણ દીન બનીને રડવાનું છે.

Jul 8, 2020

ભાગવત રહસ્ય -૩૨૬

દૂધ દોહવાનો સમય થાય એટલે બાંધેલાં વાછરડાંને છોડવામાં આવે છે,તે થોડું દૂધ પીવે પછી,દૂધ દોહવામાં આવે છે,પણ સમય ના થયો હોય અને તે પહેલાં વાછરડાંને છોડે તે શ્રીકૃષ્ણ.વાછરડાનો અર્થ થાય છે-વિષયાશક્ત જીવ.પરમાત્માની વિશિષ્ટ કૃપા થાય તો,બંધનમાંથી મુક્ત થવાનો સમય ના થયો હોય તો પણ –પરમાત્મા જીવાત્માને બંધનમાંથી છોડાવે છે.શાસ્ત્ર માં મુક્તિના બે પ્રકાર બતાવ્યા છે.(૧) ક્રમ મુક્તિ (૨) સદ્યોમુક્તિ.સમય આવ્યે (ક્રમથી સમય આવ્યે) મુક્ત કરે તે મર્યાદા પુરુષોત્તમ રામ.પણ કનૈયો તો પુષ્ટિ પુરુષોત્તમ છે.જીવ લાયક ના થયો હોય તો પણ જીવને ક્રમ પ્રમાણે નહિ,પણ તરત મુક્તિ આપે છે. આ પુષ્ટિ માર્ગ-કૃપામાર્ગ છે.