Jul 29, 2020
ભાગવત રહસ્ય -૩૪૬
યશોદાજી, લાલાને સ્તનપાન કરાવતાં લાલા જોડે એક થયાં છે.અદ્વૈત થયું છે.તે સર્વ સંસારિક કાર્યો ભૂલી ગયા છે,તે ભૂલી ગયા છે કે,થોડા સમય પહેલા ચૂલા પર દૂધ મુક્યું છે.કનૈયાએ અગ્નિ ને આજ્ઞા કરી છે કે- જરા વધુ પ્રજ્વલિત થા, જેથી દૂધમાં ઉભરો આવશે,દૂધ ચૂલામાં પડશે,નુકસાન થશે,અને જો મા મને છોડીને તે દૂધ ઉતારવા જશે,નુકસાન થતું રોકવા જશે તો –તેને સંસાર વહાલો,અને જો તેની (નુકસાનની) ચિંતા નહિ કરે તો હું વહાલો.મારી મા શું કરે છે તે મારે જોવું છે.
Jul 28, 2020
ભાગવત રહસ્ય -૩૪૫
કનૈયો ઘુંટણે ચાલતો યશોદામા ના પાસે આવ્યો અને મા ને કહે છે –મા મને ભૂખ લાગી છે.યશોદાજી એ ગોળી તરફ નજર કરી,થોડું માખણ ઉપર આવ્યું છે –તે વિચારે છે-કે-માખણ ઉતારીને લાલાને ધવડાવીશ.યશોદાજી એ જે કામ હાથમાં લીધેલું તે મુકવાનું મન થતું નથી.મા કનૈયા ને ગોદમાં લેતી નથી એટલે લાલો રડવા લાગ્યો.એટલે મા નું હૃદય પીગળ્યું છે.મા એ બધું કામ મૂકીને કનૈયાને ગોદ માં લીધો અને કનૈયાને ધવડાવવા લાગ્યા.
Subscribe to:
Posts (Atom)