દામોદરલીલા પછી માલણનો પ્રસંગ આવે છે.ભાગવતમાં એક-બે શ્લોકમાં આ કથા છે.
પણ વૃંદાવનના મહાત્માઓ,આના પર બહુ વિચાર કરે છે.ભાગવતમાં -સુખિયા માલણ ની આ કથામાં શ્રીકૃષ્ણની બાળલીલાની સમાપ્તિ કરી છે.મથુરામાં સુખિયા નામની એક માલણ રહેતી હતી.તે રોજ ગોપીઓને ઘેર ફુલ-તુલસી આપવા જાય.ગોપીઓના ઘરમાં વાતોનો એક જ વિષય છે.-અને તે શ્રીકૃષ્ણ.એટલે માલણ રોજ આ કૃષ્ણકથા સાંભળે.રોજ કથા શ્રવણ કરતાં કરતાં માલણને શ્રીકૃષ્ણમાં પ્રેમ જાગ્યો છે,તેની ભક્તિ વ્યસનરૂપ થઇ છે.
પણ વૃંદાવનના મહાત્માઓ,આના પર બહુ વિચાર કરે છે.ભાગવતમાં -સુખિયા માલણ ની આ કથામાં શ્રીકૃષ્ણની બાળલીલાની સમાપ્તિ કરી છે.મથુરામાં સુખિયા નામની એક માલણ રહેતી હતી.તે રોજ ગોપીઓને ઘેર ફુલ-તુલસી આપવા જાય.ગોપીઓના ઘરમાં વાતોનો એક જ વિષય છે.-અને તે શ્રીકૃષ્ણ.એટલે માલણ રોજ આ કૃષ્ણકથા સાંભળે.રોજ કથા શ્રવણ કરતાં કરતાં માલણને શ્રીકૃષ્ણમાં પ્રેમ જાગ્યો છે,તેની ભક્તિ વ્યસનરૂપ થઇ છે.