Aug 13, 2020

ભાગવત રહસ્ય -૩૫૯

દામોદરલીલા પછી માલણનો પ્રસંગ આવે છે.ભાગવતમાં એક-બે શ્લોકમાં આ કથા છે.
પણ વૃંદાવનના મહાત્માઓ,આના પર બહુ વિચાર કરે છે.ભાગવતમાં -સુખિયા માલણ ની આ કથામાં શ્રીકૃષ્ણની બાળલીલાની સમાપ્તિ કરી છે.મથુરામાં સુખિયા નામની એક માલણ રહેતી હતી.તે રોજ ગોપીઓને ઘેર ફુલ-તુલસી આપવા જાય.ગોપીઓના ઘરમાં વાતોનો એક જ વિષય છે.-અને તે શ્રીકૃષ્ણ.એટલે માલણ રોજ આ કૃષ્ણકથા સાંભળે.રોજ કથા શ્રવણ કરતાં કરતાં માલણને શ્રીકૃષ્ણમાં પ્રેમ જાગ્યો છે,તેની ભક્તિ વ્યસનરૂપ થઇ છે.

Aug 12, 2020

ભાગવત રહસ્ય -૩૫૮

શુકદેવજી વર્ણન કરે છે-અનેક વાર ગોપીઓ યશોદાજીને ઘેર આવી તેમને કહે છે કે-
મા,મારે ઘેર લાલાને મોકલોને. ગોપીઓ લાલાને પૂછે છે કે-લાલા મારે ઘેર આવીશ ?
કનૈયો પૂછે છે કે-હું તારે ઘેર આવું તો તું મને શું આપીશ ? ગોપી કહે છે કે-માખણ.
કનૈયો પૂછે છે કે –કેટલું માખણ આપીશ ? ગોપી સામે પૂછે છે કે-લાલા, તને કેટલું માખણ જોઈએ ?ત્યારે લાલો બે હાથ પહોળા કરી ને કહે છે કે-આટલું,બધું.
ગોપી પૂછે છે –લાલા,આટલું માખણ શું તું ખાઈ શકીશ ?

Aug 11, 2020

ભાગવત રહસ્ય -૩૫૭

ધરાદેવી પાસેના ગામમાં એક વણિકની દુકાને આવ્યાં.અને બધી સીધુંસામગ્રી બંધાવી.તેઓ ભોળાં હતાં,તેમને ખબર નહિ કે આના પૈસા આપવા પડે.વણિકે પૈસા માગ્યા.ધરાદેવી કહે-કે મારી પાસે પૈસા તો નથી.ધરાદેવી સ્વરૂપવાન હતાં.વણિક તેમના રૂપમાં મોહાયો.તેણે ધરાદેવી ને કહ્યું કે-તો તમારી પાસે જે છે તે આપો.ધરાદેવી કંઈ સમજ્યા નહિ.એટલે વણિકે તેમના સ્તન તરફ હાથ બતાવ્યો. ધરાદેવી સમજ્યાં કે આ મારા સ્તન માગે છે.તેથી તેમણે પોતાના બંને સ્તનો કાપીને વણિકને આપી દીધા અને સીધુંસામગ્રી લઈને ઘેર આવ્યા.