Sep 28, 2020

ભાગવત રહસ્ય -૪૦૩

ગીતામાં કહ્યું છે કે-કર્મેન્દ્રિયોને (કર્મેન્દ્રિયોથી વિષયોને) કાબૂમાં રાખે,
પણ જો મનથી તે વિષયોનું ચિંતન કરે તો તે મિથ્યાચાર (દંભ) કહેવાય છે.
મનુષ્ય ત્યાં છે જ્યાં તેનું મન છે,ભલે તેનું શરીર ગમે ત્યાં હોય.
વાયુપુરાણમાં એક કથા આવે છે.શ્રુત અને અનુશ્રુત નામે બે બ્રાહ્મણ (મિત્રો) હતા.
પ્રયાગરાજમાં વેણીમાધવના મંદિર જવા,જાત્રા કરવા નીકળ્યા છે.
જન્માષ્ટમીનો દિવસ છે,સંકલ્પ થયો છે-કે-આજે રાત્રે વેણીમાધવનાં દર્શન કરવાં છે.

Sep 26, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-29-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-29



ભાગવત રહસ્ય -૪૦૨

ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓને ઘેર જવાની આજ્ઞા કરે છે.તેથી ગોપીઓને ઘણું દુઃખ થયું છે.ગોપીઓ વિચારે છે કે-આજે ભગવાન અમારો તિરસ્કાર કેમ કરે છે? 
શ્રીકૃષ્ણ આજે નિષ્ઠુર થયા છે અને ગોપીઓને “દેહધર્મ” નો ઉપદેશ કર્યો છે.
પણ હવે ગોપીઓ “આત્મધર્મ” થી ભગવાનને જવાબ આપે છે કે-પતિ એ તો દેહનો પતિ છે,
આ શરીરનો કોઈ પતિ હશે-પિતા હશે પણ આત્માનો કોઈ પતિ કે પિતા નથી.