પણ જો મનથી તે વિષયોનું ચિંતન કરે તો તે મિથ્યાચાર (દંભ) કહેવાય છે.
મનુષ્ય ત્યાં છે જ્યાં તેનું મન છે,ભલે તેનું શરીર ગમે ત્યાં હોય.
વાયુપુરાણમાં એક કથા આવે છે.શ્રુત અને અનુશ્રુત નામે બે બ્રાહ્મણ (મિત્રો) હતા.
પ્રયાગરાજમાં વેણીમાધવના મંદિર જવા,જાત્રા કરવા નીકળ્યા છે.
જન્માષ્ટમીનો દિવસ છે,સંકલ્પ થયો છે-કે-આજે રાત્રે વેણીમાધવનાં દર્શન કરવાં છે.