“મને
લાલાએ કહ્યું છે કે હું આવીશ” એટલે રોજ રાહ જુએ છે,સાંજ પડે પણ શ્રીકૃષ્ણ,ના આવે
એટલે રડતા,રડતા
ઘેર જાય છે.રોજના નિયમ મુજબ આજે પણ બાળકો મથુરાના રસ્તા પર રાહ જોઈ બેઠા છે.ત્યાં
દુરથી રથ આવતો દેખાણો.બાળકો એ મનથી વિચાર કર્યો કે અમારો કનૈયો આવ્યો. એટલે તે
દોડતા દોડતા રથ પાસે જવા લાગ્યા પણ તેમણે કોઈને રથમાંથી ઉતરતા કે કૂદકો મારતા ન
જોયા.
Nov 13, 2020
Nov 12, 2020
ભાગવત રહસ્ય -૪૪૪
યમુનાનાં જળ જાણે ગોપીઓના આંસુઓથી વહી રહ્યાં હોય તેવાં લાગે છે,ગાયો ખડ ખાતી નથી.વારંવાર મથુરા તરફ નિહાળી ભાંભરે છે.શ્રીકૃષ્ણ મથુરા ગયા પછી,
નંદ-યશોદાએ અનાજ લીધું નથી.”કનૈયો ના આવે ત્યાં સુધી ખાવું નથી.” નંદ-યશોદાના શરીર કૃશ થયા છે અને આંખો ઊંડી ઉતરી ગઈ છે.રાત્રે નિંદ્રા આવતી નથી અને દિવસે ગમતું નથી.લાલાના વિરહમાં જીવ અકળાય છે,આંસુ નીકળે છે.
Nov 11, 2020
ભાગવત રહસ્ય -૪૪૩
ઉદ્ધવ નું જ્ઞાનનું અભિમાન દૂર કરવાની આ લીલા છે.પ્રભુને લાગે છે કે-ઉદ્ધવ અભણ ગોપીઓને નમવાનો નથી,પણ ત્યાં જઈ ને ગોપીઓના મંડળમાં
તાડ ની જેમ ઉભો રહેશે.તે વંદન નહિ કરે તો તેનું કલ્યાણ નહિ થાય.જે નમે નહિ તે
પ્રભુને ગમે નહિ.એટલે,પ્રભુ
ખુલ્લે ખુલ્લું કહે છે કે-ઉદ્ધવ ત્યાં જાય ત્યારે ગોપીઓ ને વંદન કરજે.ઉદ્દવ
ને જવાની ઈચ્છા નહોતી પણ પ્રભુના આગ્રહથી જવા તૈયાર થયા છે.
Subscribe to:
Posts (Atom)