Nov 26, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-70-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-70


ભાગવત રહસ્ય -૪૫૮

શુકદેવજી પરમહંસ છે.પરમહંસ તેને કહે છે કે જે પરમાત્મા સાથે પરણે છે.(જેનું ઈશ્વર સાથે મિલન થયું છે) શુકદેવજીનું લગ્ન (મિલન) પરમાત્મા સાથે થયું છે.અહીં ભાષા લગ્ન ની છે.પણ તાત્પર્ય એ છે કે-જીવને ઈશ્વર સાથે લગ્ન કરવાનું છે.(જીવ-ઈશ્વરનું મિલન)
રુક્મિણી એ કૃષ્ણ પરના પત્રમાં લખ્યું છે-કે-મારે કામી પુરુષ સાથે પરણવું નથી.કામી રાજાઓ તો શિયાળવાં જેવાં છે.તેમનું તો નામ લેવું પણ મને ગમતું નથી.તેમની સામે જોવાની પણ ઈચ્છા થતી નથી.મારે કોઈ રાજાની રાણી થવું નથી.તમે નિષ્કામ છો,હું નિર્વિકાર છું.મારે તમારી સાથે પરણવું છે.

Nov 25, 2020

ભાગવત રહસ્ય -૪૫૭

પરીક્ષિત કહે છે-કે-રુક્મિણી હરણની કથા વિસ્તારથી સાંભળવાની મારી ઈચ્છા છે,
શુકદેવજી કહે છે-કે રાજા,શ્રવણ કરો.મહારાજ ભીષ્મક વિદર્ભ દેશના રાજા છે.તેને પાંચ પુત્રો અને એક કન્યા છે,મોટા પુત્રનું નામ –રુક્મિ અને કન્યા નું નામ –રુક્મિણી છે.
રુક્મિણી સાક્ષાત મહાલક્ષ્મીનો અવતાર છે.ભીષ્મક રાજાની એવી ઈચ્છા હતી કે મારી કન્યાનું લગ્ન હું શ્રીકૃષ્ણ સાથે કરીશ.પણ પુત્ર રુક્મિએ વિરોધ કર્યો અને કહ્યું કે મારી બહેન હું ગોપાળને નહિ આપું,પણ તેનું લગ્ન હું શિશુપાળની સાથે કરાવીશ.