અર્જુન અતિ બળવાન યોદ્ધો છે. મહાભારત\ના યુદ્ધમાં તેના પર મોટી જવાબદારી છે.
પણ હજુ યુદ્ધ શરુ પણ નથી થયું અને અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે.
એવું કદીયે બન્યું નથી –કે-અંધકારે –સૂર્ય ને ગળ્યો હોય, દેડકાએ –અજગર ને ગળ્યો હોય કે
શિયાળે –સિંહ ની
સામે ટક્કર લીધી હોય.પણ આજે કંઈક એવું બન્યું છે.અશક્ય લાગતી વસ્તુ શક્ય બની છે.
ઘણાં બધાં યુદ્ધો કરીને અપરાજિત રહેનાર એક શુરવીર યોદ્ધા –અર્જુન-“મોહ” ને
કારણે “દયા” થી
ભરપૂર થઇ એક નામર્દની જેમ યુદ્ધ કરવાનો ઇન્કાર કરી ઢીલો થઇ બેસી ગયો છે.