Jan 9, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮
સ્વપ્નમાં કોઈ મનુષ્ય પર વાઘ હુમલો કરે તો તે –મનુષ્ય દુઃખી થઇ જાય છે.
પણ જાગે તો ખબર પડે કે-તેની આજુ બાજુ ક્યાંય વાઘ તો છે જ નહિ.
પણ સ્વપ્નમાં તો-- સ્વપ્ન નો વાઘ સાચો જ લાગે છે.અને દુઃખી કરે છે.
તેવું જ માયાનું છે-માયા સાચી લાગે છે-પણ સ્વપ્નની જેમ –તે સાચી નથી.
તેમ છતાં તે સાચી છે –તેવો ભ્રમ
(ભ્રાંતિ) કરાવે છે.
Jan 8, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭
કારણ એ છે કે-મનુષ્ય ઇન્દ્રિયો (આંખ-વગેરે) ને આધીન છે,ઇન્દ્રિયોનો દાસ છે.
અને ઇન્દ્રિયો (કાન –આંખ-વગેરે) નો સ્વભાવ જ એવો છે કે-
તેમને તેમના વિષયો (સાંભળવું-જોવું-વગેરે) સિવાય બીજા કશામાં સુંદરતા દેખાતી
નથી.
એથી જ -સામાન્ય રીતે- ઇન્દ્રિયો (આંખ-વગેરે) તેના વિષયનું (જોવું-વગેરે) સેવન
કરે છે,
પણ વિષયો-સ્થિર નથી.આંખ જો સુંદરતા જુએ તો સુખ મળે –કદરૂપતા જુએ તો દુઃખ મળે--એટલે સુખ દુઃખ ઉત્પન્ન થાય છે. સુખ-દુઃખ અનુભવાય છે.અને આ સુખ-દુઃખમાં અંતઃકરણ પણ ગૂંથાય છે-જોડાય છે.
Subscribe to:
Posts (Atom)