Jan 19, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૮

જ્યાં અંતઃકરણમાં (ચિત્તમાં) સદાને માટે પ્રસન્નતા (આનંદ) હોય –
ત્યાં સંસારિક દુઃખનો પ્રવેશ થતો નથી.
જેવી રીતે કોઈના પેટમાં જો અમૃતનો ઝરો ઉત્પન્ન થયો હોય તો –પછી તેને ભૂખ-તરસ ક્યાંથી પીડા કરી શકે ? એવીજ રીતે હૃદય (અંતઃકરણ-ચિત્ત) –પ્રસન્ન થવાથી-જાણે અમૃત (આનંદ)નો ઝરો ફૂટે છે-અને તેને માટે સંસારિક સુખ-દુઃખ (દ્વંદ) –રાગ-દ્વેષ –વગેરે પીડાદાયક રહેતા નથી.

Jan 18, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૭

મનમાં વિષયો (સ્વાદ-વગેરે) નું જેવું -સ્મરણ થયું –એટલે –(૧) જીભને (ઇન્દ્રિયને)–વિષય (સ્વાદ-વગેરે) ની પ્રાપ્તિ માટે રસ (રાગ-પ્રીતિ) ઉત્પન્ન થાય છે.(૨) મનને થોડો રસ પડ્યો-કે તરત જ –તેને તે વિષય(સ્વાદ-વગરે)ને પામવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે.અને આમ જે પોતાની પાસે નથી તે પામવાની ઈચ્છા-એટલેકે –કામ-ઉત્પન્ન થાય છે.(૩) કામ(ઈચ્છા)ને આડે કોઈ હરકત આવે તો-“ક્રોધ” ઉત્પન્ન થાય છે.(૪)  ક્રોધની સાથે “અવિચાર” રહેલો છે.કે જેનાથી “મૂર્ખતા” ઉત્પન્ન થાય છે.