આ રહસ્ય સમજીને
જ્ઞાની મનુષ્ય સર્વમાં સર્વેશ્વર (ઈશ્વર-પરમાત્મા) જુએ છે.
ત્યારે તેની દૃષ્ટિ એ સમદૃષ્ટિ (સમાન દૃષ્ટિ) થઇ છે-એમ કહી શકાય.
આવો મહાત્મા-એ પોતે
જ –બ્રહ્મ (પરમાત્મા) થઇ જાય છે.(શિવોહમ-અદ્વૈત)
એટલે –કે-જેમ બ્રહ્મમાં કોઈ દોષ નથી,તેવી જ રીતે તે કોઈ પણ દોષ વગરનો થઇ જાય છે.તેણે,જન્મ-મરણને જીતી
લીધાં છે-તેનાં બધાં બંધનો છૂટી જાય છે -અને-તે મુક્ત રીતે ફરે છે. (૧૯)