Feb 28, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૨

હજારો મનુષ્યોમાંથી કોઈ એકાદ મનુષ્યને જ આ “સત્ય જ્ઞાન”ની “ઈચ્છા” થયેલી હોય છે.
આવી “ઈચ્છા થયેલા મનુષ્યો” માંથી પણ કોઈ એકાદ જ –આ-“સત્યજ્ઞાન” મેળવવા પ્રયત્ન 
કરે છે.અને આવા પ્રયત્ન કરનારામાંથી કોઈ એકાદ જ –આ સત્યજ્ઞાનને –પરમાત્માને
ઓળખી શકે છે.(મેળવી શકે છે).(૩)

Feb 27, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-9-Adhyaya-23-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-9-અધ્યાય-23


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૧-અધ્યાય-૭-જ્ઞાન-વિજ્ઞાન યોગ

અધ્યાય-૭-જ્ઞાન-વિજ્ઞાન યોગ-૧
શ્રીકૃષ્ણ કહે છે-કે-
-યોગ નો (આગળના અધ્યાય -૬ માં બતાવ્યો તે) અભ્યાસ કરીને-
--અહીં તહીં ભટકતા તારા મનને–મારામાં (આત્મામાં-પરમાત્મામાં) જ આસક્ત કરીને-અને --કેવળ મારો (આત્માનો-પરમાત્માનો) આશ્રય ધરીને-(શરણમાં જઈને)
તું મારું (આત્માનું-પરમાત્માનું) સ્વરૂપ –કોઈ પણ સંશય વગર –
કેવી રીતે જાણી શકીશ-તેનું “જ્ઞાન” કહું છું.(૧)