Mar 1, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-9-Adhyaya-24-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-9-અધ્યાય-24


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૩

આ દૃશ્ય જગત (જે આંખથી દેખાય છે-તે જગત) એ –મૃગજળ જેવું છે.
મૃગજળનું મૂળ જોવા જઈએ તો-તે-માત્ર સૂર્યકિરણ જ નહિ પણ સૂર્ય પોતે જ છે.
તેવી જ રીતે –આ દૃશ્ય જગતનું મૂળ જોવા જઈએ તો-
તે માત્ર પ્રકૃતિ  (માયા)  નહિ પણ બ્રહ્મ (પરમાત્મા) પોતે જ છે.
જે પ્રમાણે,સોનાના મણકા કરીને,તેને સોનાના તારમાં જ પરોવ્યા હોય,તે પ્રમાણે,સર્વ જગત(સોનાના મણકા) એ-બ્રહ્મ(સોનાનો તાર-પરમાત્મા)માં જ ઓતપ્રોત ગુંથાયેલું છે.(૭)

Feb 28, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૨

હજારો મનુષ્યોમાંથી કોઈ એકાદ મનુષ્યને જ આ “સત્ય જ્ઞાન”ની “ઈચ્છા” થયેલી હોય છે.
આવી “ઈચ્છા થયેલા મનુષ્યો” માંથી પણ કોઈ એકાદ જ –આ-“સત્યજ્ઞાન” મેળવવા પ્રયત્ન 
કરે છે.અને આવા પ્રયત્ન કરનારામાંથી કોઈ એકાદ જ –આ સત્યજ્ઞાનને –પરમાત્માને
ઓળખી શકે છે.(મેળવી શકે છે).(૩)