લક્ષ્મણજી આગળ કહે છે કે-મનુષ્ય-જન્મની અંદર જે કંઇ ધર્મ,અર્થ અને કામ પ્રાપ્ત થાય છે તે,પણ પૂર્વજન્મમાં કરેલાં ધર્મ-કર્મનું જ ફળ છે.તે જ પ્રારબ્ધ (દૈવ) છે.અને તે ભોગવ્યા વિના કોઈ પણ ઉપાયે તેનો નાશ થઇ શકતો નથી.ભોગવાઈ જાય એટલે આપોઆપ આ પ્રારબ્ધ (દૈવ) પુરુ થાય છે.એકવાર રામજી આગળ હું પુરુષાર્થની બડાઈ કરતો હતો ત્યારે તેમણે જ મને કહ્યું હતું કે-જેને પુરુષાર્થ કહે છે તે –કાક તાલીય ન્યાય જેવું છે.
Sep 30, 2021
Sep 29, 2021
Gujarati-Ramayan-Rahasya-87-ગુજરાતી-રામાયણ-રહસ્ય-87
સવારે અયોધ્યાના પ્રજાજનો જાગીને જુએ તો રામજી ના મળે.સર્વેને હાયકારો થયો,અને ચારે બાજુ દોડાદોડી કરી મૂકી.પણ રામજીના કોઈ સગડ ના મળ્યા.તેમના પસ્તાવાનો પાર રહ્યો નહિ.“અરેરે અમે ઊંઘ્યા કેમ?અમારી ઊંઘે અમને રામ ખોવડાવ્યા.અમે રામ વગર જીવીને કરીશું શું? અયોધ્યાના લોકો પ્રભુ વગર કલ્પાંત કરે છે.તેમને નગરમાં પાછા જતાં બીક લાગે છે.દાવાનળમાં સપડાયેલું પંખી જેમ ફફડે છે,તેમ લોકો પણ ફફડે છે.મહાકષ્ટ અનુભવતા અયોધ્યાના લોકો જયારે પોતાના ઘેર પાછા આવ્યા ત્યારે માથાં કુટીને કહે છે કે-
શ્રી રામ વગર આ ઘરમાં,આ નગરમાં કોણ રહે? આ અયોધ્યામાં રામ વગર કેવી રીતે રહેવાશે?
શ્રી રામ વગર આ ઘરમાં,આ નગરમાં કોણ રહે? આ અયોધ્યામાં રામ વગર કેવી રીતે રહેવાશે?
Sep 28, 2021
Gujarati-Ramayan-Rahasya-86-ગુજરાતી-રામાયણ-રહસ્ય-86
પણ સીતાજીના હાથમાં વલ્કલ જોઈને વશિષ્ઠજીથી રહેવાયું નહિ,તેમની આંખમાથી આંસુ આવી ગયાં.કૈકેયીની સામે જોઈને તેમણે કહ્યું કે-સીતાજીને વલ્કલ અપાય જ નહિ,તેં વનવાસ રામને આપ્યો છે,સીતાને નહિ.સીતા એ તો રાજ-લક્ષ્મી છે.રામચંદ્ર વનમાંથી પાછા નહિ આવે ત્યાં સુધી રામચંદ્રની વતી એ રાજ્યાસન પર બિરાજશે ને રાજ્યનું પાલન કરશે. સ્ત્રી એ પુરુષના આત્મા-રૂપ છે એવું શાસ્ત્ર વચન છે.એટલે પુરુષનો જેટલો અધિકાર છે તેટલો સ્ત્રીનો પણ છે.
Subscribe to:
Posts (Atom)