Dec 13, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૨

ભક્તિ એ પ્રેમ અને સેવા વગર સફળ થતી નથી.પ્રેમમાં એવી શક્તિ છે કે,
નિરાકાર.એ સાકાર બને છે.પ્રેમ કરવા લાયક એક ઈશ્વર જ છે,
અને ઈશ્વર જીવ પાસેથી માત્ર પ્રેમ જ માગે છે.
સંતો કહે છે કે-ઈશ્વર સાથે ખૂબ પ્રેમ કરો.ઈશ્વરની સેવા કરતાં,હૃદય પીગળે,
અને આંખમાંથી આંસુ વહે,તો માનજો કે ઈશ્વરની સાચી સેવા કરી.

Dec 12, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-009


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૧

આપણા થઇ ગયેલા ઋષિ-મુનિઓએ કોઈને છેતરવા શાસ્ત્રો લખ્યાં નથી. તેઓ તો નિસ્વાર્થી હતા.તેમના દિલમાં માત્ર એક જ આકાંક્ષા –ઈચ્છા હતી –અને તે પરોપકારની,માનવ સેવાની.એટલે એમણે જે શાસ્ત્રોમાં કહ્યું તે ખોટું નથી.આપણી બુદ્ધિમાં કોઈ વાત ઉતરે નહિ તો એનો અર્થ એ નથી કે –તે વાત ખોટી છે.
સાચી વાત તો એ છે કે આપણી બુદ્ધિ સીમિત છે જયારે ઋષિમુનિઓની બુદ્ધિ વિશાળ હતી.આપણને ના સમજાય તેવું ઘણું-બધું એ વિશાળ બુદ્ધિને સમજાણું છે,તેનો અનુભવ કર્યો છે,અને લખ્યું છે.એટલે આપણા ઋષિ-મુનિઓની વાતમાં શંકા કરવા જેવું નથી.