તુલસીદાસજી કહે છે કે-શરીર એ ઘર છે,મુખ એ બારણું છે,અને જીભ એ ઉમરો છે.
જેમ,ઉમરા પર દીવો મુકવામાં આવે તો ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ અજવાળું કરે છે,તેમ,જીભ-રૂપી ઉમરા પર રામનામનો દીવો મુકવાથી,પુરુ શરીર પ્રકાશથી ઝળહળી ઉઠશે.નામ-જપથી જીવનો અંધકાર દૂર થશે.માટે જીભને રામનામથી પ્રકાશિત કરો.