રાવણનો ગુસ્સો આસમાને પહોંચ્યો ,તેણે તલવાર કાઢી,કહ્યું કે –ગુસ્સો તો એવો આવે છે કે તારો હમણાં જ વધ કરી નાખું,પણ શું થાય? મેં તને બાર મહિનાની મહેતલ આપી હતી તેમાં બે મહિના હજુ બાકી છે,એટલે ત્યાં સુધી હું રાહ જોઇશ,ત્યાં સુધીમાં જો માની જશે તો રાજ-રાણી થશે,નહિતર મારી આ તલવાર તારા ગળામાં પડશે તે તું નક્કી જ જાણજે.
Jan 9, 2022
Jan 7, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૯
હનુમાનજી હજુ લંકામાં પ્રવેશ કરે જ છે ત્યાં-લંકિની નામની રાક્ષસીએ તેમને રોક્યા-'એઈ,વનચર,મારી રજા વગર ક્યાં જાય છે ચાલ,મારો કોળિયો થઇ જા'
હનુમાનજીએ પૂછ્યું કે-કોણ છે તું વળી?
લંકિની કહે-હું લંકાની અધિષ્ઠાત્રી દેવી છું,લંકાનું રક્ષણ કરવાની જવાદારી મારી છે,
લંકિની કહે-હું લંકાની અધિષ્ઠાત્રી દેવી છું,લંકાનું રક્ષણ કરવાની જવાદારી મારી છે,
હું કોઈ ચોરને લંકામાં ઘુસવા દેતી નથી,ચોરને પકડીને ખાઈ જવાનો મારો નિયમ છે.
Subscribe to:
Posts (Atom)