અધ્યાય-૪૮-આસ્તીકની ઉત્પત્તિ
II सौतिरुवाच II गतमात्रं तु भर्त्तारं जरत्कारुरवेदयत I भ्रातुः सकाशमागत्य यथातथ्यं तपोधन II १ II
સૂતજી બોલ્યા-હે તપોધન,પોતાના પતિના ચાલ્યા ગયા પછી,તેણે ભાઈની પાસે આવીને,સમાચાર કહ્યા.
ત્યારે,ભાઈને અત્યંત ખેદ થયો ને તેણે,બહેનને કહ્યું કે-હે કલ્યાણી,તને લગ્નમાં આપવાનું કારણ તો તું જાણે જ છે,
કે તને જો પુત્ર થશે તો જ અમને તે શાપમાંથી છોડાવશે,જો કે એ પૂછવું યોગ્ય નથી,છતાં,પણ તું કહે કે,
તને પુત્રનો કોઈ યોગ છે? તારા સ્વામી તો હવે પાછા આવશે નહિ,ને જો હું તેમને મનાવવા જાઉં,તો તે કદાચ મને શાપ આપે,માટે તું મને,તારા સ્વામીની સાથે જે કોઈ વાત થઇ હોય તે તું મને કહે (1-8)