અધ્યાય-૫૪-સર્પસત્રમાં આસ્તીકનું આગમન
II सौतिरुवाच II तत आहूय पुत्रं स्वं जरत्कारुर्भुजंगमा I वासुकेर्नागराजस्य वचनादिद मव्रतित II १ II
નાગરાજ વાસુકિનાં વચન સાંભળીને,નાગિની જરત્કારુએ પોતાના પુત્રને બોલાવીને કહ્યું કે-,મારા ભાઈએ,મને,
તારા પિતાને નિમિત્તે લગ્નમાં આપી હતી,તેનો વખત હવે આવી ગયો છે,તો તું યથાર્થ કર.
આસ્તીક બોલ્યો-'મામાએ શા નિમિત્તે લગ્નમાં આપી હતી તે તું યથાવત મને કહે,પછી હું યથાયોગ્ય કરીશ.