Dec 15, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-044

 અંશાવતરણ પર્વ 


અધ્યાય-૫૯-મહાભારતની કથા કહેવા પ્રેરણા 


II शौनक उवाच II भृगुवंशात प्रभृत्येय् त्वया मे कीर्तितं महत् I आख्यानमखिलं रात सौते प्रीतोSस्मि तेन ते II १ II

શૌનક બોલ્યા-હે સૂતજી,તમે મને ભ્રગુવંશથી માંડીને જે મહાન આખ્યાન સંપૂર્ણ રીતે સંભળાવ્યું,તેથી 

હું પ્રસન્ન થયો છું,હું તમને ફરીથી વિનવું છું કે-તમે વ્યાસજીએ નિર્મેલી સર્વ કથાઓ મને યથાવત કહો.

તે પરમ દુષ્કર સર્પયત્રમાં,યજ્ઞકર્મના અવક્ષના સમયમાં,સભાસદોમાં,જે જે વિષયો પર આશ્ચર્યકારક 

કથાઓ થઇ હોય,તે સર્વ હું સાંભળવા ઈચ્છું છું,તો તે યથાર્થ રીતે કહો (1-4)


સૂતજી બોલ્યા-કર્મના વચગાળામાં બ્રાહ્મણો વેદના આશ્રયવાળી કથાઓ કહેતા હતા,

ત્યારે વ્યાસજી તો,મહાભારતની આશ્ચર્યકારક આખ્યાનનું કીર્તન કરતા હતા.(5)

શૌનક બોલ્યા-જન્મેજયના પૂછવાથી,તે વ્યાસજીએ,પાંડવોનો જશ વધારનારૂ મહાભારતનું 

જે આખ્યાન -વિધિપૂર્વક સંભળાવ્યું હતું,તે પુણ્યકથાને હું યથાવિધિ સાંભળવા ઈચ્છું છું.

તે મહર્ષિના મનરૂપી મહાસાગરમાંથી ઉત્પન્ન થયેલી એ સર્વ રાતનભરી કથા મને કહો.(6-8)


સૂતજી બોલ્યા-વ્યાસજીને માન્ય એવું,તે મહાભારતનું મહાન અને ઉત્તમ આખ્યાન,હું તમને મૂળથી 

માંડીને કહીશ,હે શૌનકજી,તમે તે સાંભળો,તે કહેતાં,મને પણ અત્યંત આનંદ ઉભરે છે.(9-10)

અધ્યાય-60-સમાપ્ત 

Dec 13, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-043

 

અધ્યાય-૫૮-સર્પોનું આસ્તીકને વરદાન 


II सौतिरुवाच II इदमत्यद्भुतं चान्यदास्तिकस्यानुशुश्रुम I तथा वरैश्छन्दमाने राजा पारिक्षित्तेन हि  II १ II

સૂતજી બોલ્યા-રાજા જન્મેજયે,આસ્તીકને વરદાનથી પ્રસન્ન કર્યો,ત્યારે આસ્તીકના વિશે,એક બીજું આશ્ચર્ય અમે

સાંભળ્યું છે,ઇન્દ્ર પાસેથી છૂટો પડેલો તક્ષક નાગ,જયારે,આકાશમાં જ રહ્યો ને અગ્નિમાં પડયો નહિ,ત્યારે,

જન્મેજય રાજાને ચિંતા થઇ કે-તક્ષકની આહુતિ અપાઈ છે તો તે અગ્નિમાં કેમ પડ્યો નથી?

Dec 12, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-042

 

અધ્યાય-૫૭-સર્પનામ કથન 


II शौनक उवाच II ते सर्पा:सर्पसत्रेSस्मिन् पतिता हव्यवाहने I तेषां नामानि सर्वेषां श्रौतुमिच्छामि सूतज II १ II

શૌનક બોલ્યા-હે સૂતજી,તે સર્પસત્રમાં જે સર્પો અગ્નિમાં પડ્યા હતા તે સર્વેનાં નામ હું સાંભળવા ઈચ્છું છું.


સૂતજી બોલ્યા-તે સર્પયત્રમાં,હજારો,લાખો અને દશ દશ કોટી સર્પો હોમાઈ ગયા હતા,તે ઘણા હોવાથી તેમની

સંખ્યા ગણી શકાય તેમ નથી,તો પણ અગ્નિમાં જે મુખ્ય મુખ્ય સર્પો હોમાયા હતા,તેમનાં નામ સાંભળો.

વાસુકિના કુળમાં જન્મેલા અને માતાના શાપથી પરતંત્ર થયેલા,દિન એવા સર્પોના નામ પ્રથમ કહું છું.(2-5)

Dec 11, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-041

 

અધ્યાય-૫૬-આસ્તીકને વરદાન 


II जनमेजय उवाच II वालोSप्ययं स्थविर इवावमापते नायं वालः स्थविरोSमतो मे I 

इच्छाम्यहं वरमस्मै प्रदातुं तन्मे विप्राः संविदध्वं यथावत  II १ II

જન્મેજય બોલ્યા-હે વિપ્રો,બાળક હોવા છતાં,આ તો વૃદ્ધની જેમ બોલે છે,મારા અભિપ્રાય મુજબ 

તે વૃદ્ધ જ છે.હું તેને વરદાન આપવા માગું છું,તમે વિચાર કરીને કહો.

સભાસદો બોલ્યા-બ્રાહ્મણ,બાળક હોય તો પણ તેનું સન્માન કરવું જોઈએ,વળી તે વિદ્વાન હોય તો 

તેને વિશેષ સન્માન ઘટે છે,તેથી તમારા તરફથી તેની સર્વ કામનાઓ પુરી થવા યોગ્ય જ છે.

પણ,તે પહેલાં,આપણે એવું કરો કે જેથી તક્ષક,ઝટ આવી પડે.(1-2)

Dec 10, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-040

અધ્યાય-૫૫-આસ્તીકે કરેલી રાજાની સ્તુતિ 


II आस्तिक उवाच II सोमस्य यज्ञो वरुणस्य यज्ञः प्रजापतेर्यज्ञ आसीत् प्रयागे I 

तथा यज्ञोSयं तव भारतग्र्य पारिक्षित स्वस्ति नोSस्तु प्रियेभ्य II १ II

આસ્તીક બોલ્યો-હે પરીક્ષિત પુત્ર,જન્મેજય,જેવો સોમનો યજ્ઞ થયો હતો,જેવો વરુણનો યજ્ઞ થયો હતો,

અને જેવો પ્રયાગમાં પ્રજાપતિનો યજ્ઞ થયો હતો,તેવો તારો આ યજ્ઞ છે.તો,અમારા પ્રિયજનોનું કલ્યાણ થાઓ,

હે જન્મેજય,ઇન્દ્રે સો યજ્ઞો કાર્ય હતા,પણ તારો આ યજ્ઞ એવા દશ હજાર યજ્ઞોની બરાબર આવે છે.

તો,અમારા પ્રિયજનોનું કલ્યાણ થાઓ.