પિતૃઓએ,પુત્રને કુળ-વંશની પ્રતિષ્ઠારૂપ ને સર્વ ધર્મમાં ઉત્તમ કહ્યો છે,માટે પુત્રનો ત્યાગ કરવો ન ઘટે.
ધર્મ ને કીર્તિને વધારનાર અને મનુષ્યના મનની પ્રીતિ વધારનાર પુત્રો જન્મ લઈને,ધર્મ-રૂપી-નાવ બની
પિતૃઓને નરકમાંથી બચાવે છે,તેથી,હે રાજન,પુત્રનો ત્યાગ કરવો તમારા માટે યોગ્ય નથી.
જેમ,સો કુવાઓ કરતાં એક વાવ ચડિયાતી છે,સો વાવો કરતાં એક યજ્ઞ ચડિયાતો છે,સો યજ્ઞો કરતાં એક પુત્ર ચડિયાતો છે,અને સો પુત્ર કરતાં એક સત્ય ચડિયાતું છે,હજાર અશ્વમેઘ યજ્ઞો ને સત્યને તોલવામાં આવે તો
સત્ય ચડિયાતું જ સાબિત થયું છે,તો,તમારે,કપટ નહિ કરતા,સત્યનું રક્ષણ કરવું ઘટે છે.