Jan 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-067


પિતૃઓએ,પુત્રને કુળ-વંશની પ્રતિષ્ઠારૂપ ને સર્વ ધર્મમાં ઉત્તમ કહ્યો છે,માટે પુત્રનો ત્યાગ કરવો ન ઘટે.

ધર્મ ને કીર્તિને વધારનાર અને મનુષ્યના મનની પ્રીતિ વધારનાર પુત્રો જન્મ લઈને,ધર્મ-રૂપી-નાવ બની 

પિતૃઓને નરકમાંથી બચાવે છે,તેથી,હે રાજન,પુત્રનો ત્યાગ કરવો તમારા માટે યોગ્ય નથી.

જેમ,સો કુવાઓ કરતાં એક વાવ ચડિયાતી છે,સો વાવો કરતાં એક યજ્ઞ ચડિયાતો છે,સો યજ્ઞો કરતાં એક પુત્ર ચડિયાતો છે,અને સો પુત્ર કરતાં એક સત્ય ચડિયાતું છે,હજાર અશ્વમેઘ યજ્ઞો ને સત્યને તોલવામાં આવે તો 

સત્ય ચડિયાતું જ સાબિત થયું છે,તો,તમારે,કપટ નહિ કરતા,સત્યનું રક્ષણ કરવું ઘટે છે.

Jan 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-066


જેમ,બેપગાંમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે,ચોપગાંમાં ગાય શ્રેષ્ઠ છે,ને વડીલોમાં ગુરુ શ્રેષ્ઠ છે,તેમ સ્પર્શમાં પુત્ર-સ્પર્શ શ્રેષ્ઠ છે.

તો આ સુંદરમૂર્તિ પુત્રને ભેટીને તમે સ્પર્શ સુખ પામો.હે રાજન,ત્રણ વર્ષ પુરાં થયે,મેં તમારા આ કુમારનો જન્મ આપ્યો  છે,તેના જન્મ સમયે અંતરિક્ષ વાણીએ કહ્યું હતું કે-આ સો યજ્ઞો કરશે.

Jan 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-065


 રાજાની આવી વાત સાંભળતા જ શકુંતલા,લજ્જાથી ભોંઠી પડી ગઈ,દુઃખથી તે પથ્થરની જેમ ઉભી રહી,

તીરછી નજરે તે રાજાને જોઈ રહી,ક્રોધથી ઉકળેલી હોવા છતાં,તેણે ક્રોધને છુપાવી રાખ્યો.

થોડીવાર વિચાર કરીને,દુઃખ અને કોપથી યુક્ત એવી તેણે,રાજાને કહ્યું કે-'હે મહારાજ,જાણતા હોવા છતાં,તમે એક સાધારણ મનુષ્યની જેમ 'હું જાણતો નથી' એવું કેમ બોલો છો? સાચું-જૂઠું તો તમારું હૃદય જાણે છે,માટે આત્માને સાક્ષી રાખીને તમે કલ્યાણકારી વચન બોલો.તમે એમ સમજો છો કે 'હું એકલો છું,ને મને જોનાર કોઈ નથી'

પણ,પરમાત્મા,આ સર્વ જોઈ રહ્યા છે ને તેમની સમક્ષ તમે જુઠ્ઠું બોલીને પાપ કરી રહ્યા છો.(24-28)

Jan 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-064

 

અધ્યાય-૭૪-દુષ્યંત-શકુંતલા સંવાદ-ભરતનો રાજ્યાભિષેક 

II वैशंपायन उवाच II परिज्ञाय तु दुष्यन्ते प्रतियाते शकुन्तलां I गर्भ सुपाव वामोरुः कुमारमतितौजसम् II १ II

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,પ્રતિજ્ઞા કરીને દુષ્યંત ગયો,ત્યાર પછી,શકુંતલા,દુષ્યંતના પાછા આવવાની 

રાહ જોતી જ રહી.ને ત્રણ વર્ષે,અગ્નિના જેવી કાંતિવાળા કુમાર (પુત્ર-ભરત)નો જન્મ આપ્યો.

કણ્વ ઋષિએ,તે વૃદ્ધિ પામતા બુદ્ધિમાન બાળકના વિધિપૂર્વક જાતકર્મ આદિ સંસ્કાર કર્યા.

ઉજળા અણિયાળા દાંતોવાળી,સિંહના જેવા કઠોર શરીરવાળો,ચક્રના લક્ષણયુક્ત હાથવાળો,

મોટા માથાવાળો,મહાબળવાન,એ કુમાર આશ્રમમાં ઝટપટ મોટો થવા માંડ્યો (1-5)

Jan 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-063

અધ્યાય-૭૩-દુષ્યંત અને શકુંતલાનો ગાંધર્વવિવાહ 


II दुष्यन्त उवाच II सुव्यक्तं राजपुत्री त्वं यथा कल्याणि भापसे I भार्या मे भव सुश्रोणि ब्रुहि किं करवाणि ते II १ II

દુષ્યંત બોલ્યો-હે કલ્યાણી,તું કહે છે તે મુજબ,તું નક્કી રાજપુત્રી છે,માટે તું મારી પત્ની થા.

તું કહે કે,હું તારું શું પ્રિય કરું?સુવર્ણમાળાઓ,વસ્ત્રો,કંચનકુંડળો અને વિવિધ દેશોમાં પાકેલા 

ઉજ્જવળ મણિઓ,રત્નો,સોનામહોરો-આદિ હું અત્યારે જ તારા માટે લાવી દઉં.હે શોભના,આજથી મારું 

આ સર્વ રાજ્ય તારું જ છે,તું મને ગાંધર્વલગ્નથી વર.કારણકે વિવાહોમાં ગંધર્વ વિવાહ શ્રેષ્ઠ કહેવાયો છે.(1-4)