II जनमेजय उवाच II धृतराष्ट्रस्य पुत्राणामादितः कथितं त्वया I ऋषिः प्रसादात्तुशतं न च कन्या प्रकिर्तिता II १ II
જન્મેજય બોલ્યા-તે વ્યાસ ઋષિના પ્રસથી,ધૃતરાષ્ટ્રને સો પુત્રો થયા તે તમે પહેલાં કહ્યું.પણ તે વખતે કન્યા વિશે,
તમે કશું જ કહ્યું નહોતું.મહર્ષિ વ્યાસે તો કહ્યું હતું કે 'સો પુત્રોવાળી થા' તો આ કન્યા ક્યાંથી ઉત્પન્ન થઇ?
જો મહર્ષિએ માંસપેશીના સો ભાગ જ કર્યા હોય,અને ગાંધારી,જો ફરીથી પ્રજાવતી થઇ જ ન હોય
તો,દુઃશલાનો જન્મ કેવી રીતે થયો?તે વિશે આપ,મને યથાવત કહો,મને આ વિશે કુતુહલ થયું છે.(1-5)