અધ્યાય-૧૨૬-પાંડવો હસ્તિનાપુરમાં
II वैशंपायन उवाच II पाण्डोरूपमं द्रष्ट्वा देवकल्पा महर्षयः I ततो मंत्रविदः सर्वे मन्त्रायाश्चक्रिरे प्रिथः II १ II
વૈશંપાયન બોલ્યા-પાંડુનું મૃત્યુ થયેલું જોઈને દેવ જેવા મંત્રવેત્તા મહર્ષિઓએ અંદરઅંદર મંત્રણા કરી કે-
'આ મહાયશસ્વી મહાત્મા પાંડુ,રાજ્ય ને રાષ્ટ્ર છોડીને,અહીં શરણ પામ્યા હતા.ને હવે,તે પોતાની પત્ની
અને પુત્રોને અહીં,થાપણ તરીકે સોંપીને સ્વર્ગે ગયા છે,માટે એ મહાત્માના પુત્રો,પત્ની અને
તેમના દેહાવશેષને,તેમના રાજ્યમાં પહોંચાડવા એ જ આપણો ધર્મ છે.(1-4)