II वैशंपायन उवाच II ततस्तै कौरवाः सर्वे विनाभीमं च पाण्डवाः I वृतकृद विहारस्तु प्रतस्थुर्गजसाह्रुयम् II १ II
વૈશંપાયન બોલ્યા-ક્રીડા અને વિહારથી પરવારીને,કૌરવો ને પાંડવો રથો,ઘોડાઓ-આદિ વાહનોમાં બેસીને,
હસ્તિનાપુર જવા નીકળ્યા.ભીમસેન દેખાયો નહિ,એટલે દુર્યોધને કહ્યું કે-તે તો આપણી ય આગળ ચાલી ગયો છે.
પાપી દુર્યોધન,આનંદિત થઈને નગરમાં પ્રવેશ્યો,જયારે યુધિષ્ઠિરને તો પોતાનામાં પાપ ન મળે,એટલે પોતાના દાખલાથી બીજાઓને પણ સાધુવૃત્તિવાળા (અપાપી) જ જોતા હતા.(1-4)