Jun 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-205

મયદર્શન પર્વ 

અધ્યાય-૨૨૮-દેવોનો પરાભવ અને મયદાનવનું રક્ષણ 

II वैशंपायन उवाच II तथा शैलनिपातेन भीतिषाः खाण्डवालयाः I दानवा राक्षसा नागास्तरक्ष्युक्षवनौकसः II १ II

વૈશંપાયન બોલ્યા-આમ,પર્વતશિખરના પડવાથી,ભય પામેલા,ખાંડવવાસી દાનવો,રાક્ષસો,નાગો,દીપડાઓ,

રીંછો,હાથીઓ,વાઘો,સિંહો,મૃગો,શરભો,પંખીઓ તેમજ બીજાં પ્રાણીઓ ઉદ્વેગ પામીને નાસવા લાગ્યાં.

વનને બળતું જોઈ અને સામે શ્રીકૃષ્ણને અસ્ત્ર ઉગામેલા જોઈને તેઓ ભયંકર ચીસો પાડવા લાગ્યા.

ત્યારે શ્રીકૃષ્ણે.પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું,કે જેનાથી પીડાઈને ક્ષુદ્ર જાતિનાં પ્રાણીઓ,દાનવો ને નિશાચરો 

સેંકડોની સંખ્યામાં કપાઈ ગયાં ને તત્કાલ અગ્નિમાં પડ્યાં.કાળરૂપ ધારણ કરેલા શ્રીકૃષ્ણ જેમ જેમ ચક્ર ફેંકતા,

ત્યારે તે પિશાચો,નાગો રાક્ષસોને સંહારીને તેમના હાથમાં પાછું આવતું હતું.(1-11)

Jun 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-204

 
અધ્યાય-૨૨૭-ઈંદ્રાદિ દેવો સાથે કૃષ્ણ અને અર્જુનનું યુદ્ધ 

II वैशंपायन उवाच II तस्याय वर्षतो वारि पाण्डवः प्रत्यवारयत I शरवर्षेण बीभत्सुरुत्तमास्त्राणि दर्शयन  II १ II

વૈશંપાયન બોલ્યા-દેવરાજ ઇન્દ્રે કરેલી તે જળવૃષ્ટિને,અર્જુને ઉત્તમ અસ્ત્રો પ્રયોજીને બાણવૃષ્ટિ વડે રોકી દીધી.

તે અર્જુને અનેકાનેક બાણોથી આખા ખાંડવવનને ઢાંકી દીધું,ત્યારે એક પણ પ્રાણી વનની બહાર નીકળી શક્યું નહિ.તક્ષક નાગ તે વખતે તે ખાંડવવનમાં નહોતો,તે કુરુક્ષેત્ર ગયો હતો,તેના પુત્ર અશ્વસેને અગ્નિથી બચવા તીવ્ર પ્રયત્ન કર્યો,પણ તે અર્જુનના બાણોથી વીંધાઈ જતાં,વનની બહાર નીકળી શક્યો નહિ,તેથી તેની માતાએ તેને બચાવવાની ઇચ્છાએ,પ્રથમ તેનું માથું ગળી જઈને પછી તેનું પૂંછડું ગળવા લાગી,ને તે આકાશમાં જવા લાગી.

Jun 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-203

 
અધ્યાય-૨૨૬-ઇન્દ્રનો ક્રોધ 

II वैशंपायन उवाच II तौ रथाभ्यां रथिश्रेष्ठौ दवस्योमयतः स्थितौ I दिक्षु सर्वासु भूतानां चक्राते कदनं महत्  II १ II

વૈશંપાયન બોલ્યા-ત્યારે રથીઓમાં શ્રેષ્ઠ એવા તે શીકૃષણ અને અર્જુન રથોમાં બેસીને વનની બંને બાજુએ ઉભા રહ્યા ને સર્વ દિશાઓમાં પ્રાણીઓનો સંહાર કરવા લાગ્યા.જે જે દિશાઓમાંથી પ્રાણીઓ ભાગતા હતા,ત્યાં ત્યાં તે બંનેના રથો તેમની પાછળ દોડી જતા હતા.તે બંનેના રથો એટલી ઝડપથી દોડતા હતા કે તેમની વચ્ચેનો કોઈ ગાળો લોકો જોઈ શકતા નહોતા.ને બંને રથો જાણે એકરૂપ જ હોય તેમ દેખાતા હતા.(1-3)

Jun 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-202

 
અધ્યાય-૨૨૫-અગ્નિએ અર્જુનને શસ્ત્રો આપ્યાં 

II वैशंपायन उवाच II एवमुक्तः स भगवान धुमकेतुर्हुताशन: I चिन्तयामास वरुणं लोकपालं दिदक्षया  II १ II

વૈશંપાયન બોલ્યા-અર્જુને આમ કહ્યું એટલે,ધૂમકેતુ (અગ્નિ)એ,જળનિવાસી,જલેશ્વર,અને લોકપાલ એવા અદિતિપુત્ર વરુણનાં દર્શન અર્થે ચિંતન કર્યું,ત્યારે તે વરુણે,દર્શન આપ્યાં,ત્યારે અગ્નિએ તેમને પૂજા સત્કાર 

અર્પણ કરીને કહ્યું કે-'સોમરાજાએ તમને જે ધનુષ્ય,સુદર્શન ચક્ર ને શીઘ્રવેગી કપિના ધ્વજવાળો રથ આપ્યા છે 

તે તત્કાળ મને આપો.અર્જુન તે ગાંડીવ ધનુષ્યથી અને વાસુદેવ તે સુદર્શન ચક્રથી મને સહાય કરશે. 

વરુણે અગ્નિને ઉત્તર આપ્યો કે-'ભલે,હું તે આપું છું' (1-5)

Jun 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-201

અધ્યાય-૨૨૪-અર્જુન અને અગ્નિનો સંવાદ 


II वैशंपायन उवाच II स तु नैराश्यमापन्नः सदाग्लानिसमन्वितः I पितामहमुपागच्छत् संकृद्वो हव्यवाहनः II १ II

વૈશંપાયન બોલ્યા-આમ,નિરાશ થયેલો,ને ગ્લાનિમાં રહેલ તે કુદ્ધ અગ્નિ,ફરી પિતામહ(બ્રહ્મા) પાસે ગયો.

ને તેમને પોતાનો સર્વ વૃતાંત કહ્યો,ત્યારે બ્રહ્માએ થોડીકવાર વિચાર કરીને કહ્યું કે-હે,નિષ્પાપ,તું વનને બાળી શકે તેવો ઉપાય મને સુઝ્યો છે,એટલે તું થોડો સમય થોભી જા.ચોક્કસ સમયે તને નર અને નારાયણ એ બંને સહાય કરશે,ત્યારે જ તું તે વનને બાળી શકીશ' ત્યારે તે અગ્નિ (વહનિ)એ કહ્યું-'ભલે તેમ હો' (1-4)