II वैशंपायन उवाच II प्रभातायां तु शर्वर्या तेषामक्लिष्त्कर्मणाम् I वनं पिपासतां विप्रास्तस्थुर्भिक्षामुजोSप्रतः II १ II
વૈશંપાયન બોલ્યા-બીજા દિવસે સવારે,પાંડવો સાથે વનમાં સાથે જવાની ઈચ્છાવાળા,ભિક્ષાભોગી વિપ્રો,
ઉત્તમકર્મી પાંડવોની સામે આવીને ઉભા રહ્યા ત્યારે યુધિષ્ઠિરે તેમને કહ્યું કે-'અમારું ઐશ્વર્ય હરાઈ ગયું છે,એથી ફળ,મૂળ અને માંસનો આહાર કરતા અમે વનમાં જઈશું.વનમાં અનેક દોષો હોય છે,ત્યાં વાઘો ને સર્પો હોય છે,
એટલે હું માનું છું કે તમને ત્યાં નક્કી ક્લેશ થશે અને બ્રાહ્મણોનો થયેલો ક્લેશ દેવોને પણ નાશ કરે છે,
તો પછી અમારું તો શું ગજું? માટે,કૃપા કરી તમે અહીંથી પાછા વળો (4)