May 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-522

 

અધ્યાય-૨૫૫-દુર્યોધનના વૈષ્ણવ યજ્ઞનો આરંભ 


II वैशंपायन उवाच II जित्वा तु पृथिवीं राजन सूतपुत्रो जनाधिप I अग्र्वित्परवीरघ्नो दुर्योधनमिदं वचः II १ II

વૈશંપાયન બોલ્યા-હે જનાધિપતિ,શત્રુવીરને હણનારા સૂતપુત્ર કર્ણે પૃથ્વી પર જય મેળવ્યા પછી દુર્યોધનને 

કહ્યું કે-'હે વીર,આજે આ નિઃશત્રુ પૃથ્વી તમારી છે,તેનું તમે શત્રુરહિત થયેલા ઇન્દ્રની જેમ પાલન કરો'

દુર્યોધન બોલ્યો-'હે કર્ણ,તું જેના પક્ષમાં છે,તેને કશું પણ દુર્લભ નથી.તું મારો સહાયક,મારો ભક્ત અને 

સદૈવ મારા માટે સજ્જ છે.હવે, મારો એક વિચાર છે તે તું સાંભળ.યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞ જોયા પછી,

મને પણ તે કરવાની સ્પૃહા જાગી છે તો તે તું સિદ્ધ કર'

May 19, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-521

 

અધ્યાય-૨૫૩-દિગ્વિજય માટે કર્ણનું પ્રયાણ 


II जनमेजय उवाच II वसमानेपु पार्थेपु वने तस्मिन्महात्मसु I धार्तराष्ट्रा महेष्वासाः किमकुर्वत सत्तमाः II १ II

જન્મેજય બોલ્યા-તે મહાત્મા પૃથાપુત્રો વનવાસ સેવતા હતા,ત્યારે ધૃતરાષ્ટ્રપુત્રોએ,

કર્ણ,શકુનિ,ભીષ્મ,દ્રોણ,કૃપ આદિ શ્રેષ્ઠજનોએ શું કર્યું હતું તે મને કહો 

વૈશંપાયન બોલ્યા-પૃથાપુત્રોએ દુર્યોધનને છોડાવ્યો,પછી તે હસ્તિનાપુર પાછો આવ્યો ત્યારે ભીષ્મે તેને કહ્યું કે-

'મેં તને તપોવનમાં જવાની પહેલેથી જ ના પાડી હતી.મને ગમ્યું નહોતું છતાં તું ત્યાં ગયો ને કેદ થઇ પડ્યો ત્યારે

પાંડવોએ તને છોડાવ્યો,છતાં તને લાજ આવતી નથી? ત્યારે સૂતપુત્ર કર્ણ પણ પલાયન થઇ ગયો હતો.

ધનુર્વેદ,શૌર્ય અને ધર્મમાં તે કર્ણ પાંડવોના ચોથા ભાગની તોલે પણ આવે તેમ નથી.આથી કુળની વૃદ્ધિ અર્થે 

હું તે પાંડવો સાથે સંધિ કરવી યોગ્ય માનું છું' ભીષ્મએ આમ કહ્યું ત્યારે દુર્યોધન હસીને ત્યાંથી ચાલ્યો ગયો.

ભીષ્મ શરમથી નીચું જોઈ રહ્યા ને પોતાના ભવને ચાલ્યા ગયા.(13)

May 18, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-520

 

અધ્યાય-૨૫૨-દુર્યોધનનો હસ્તિનાપુરમાં પ્રવેશ 


II दानवा उचु: II भो दुर्योधन राजेन्द्र भरतानां कुलोद्वह I शूरैः परिवृतो नित्यं तथैव च महात्मभिः II १ II

દાનવો બોલ્યા-હે દુર્યોધન,તું નિત્ય શૂરાઓથી વીંટળાયેલો છે,છતાં,આ પ્રાયોપવેશનનું સાહસ કેમ માંડ્યું છે?

આપઘાત કરનારો મનુષ્ય નરકમાં પડે છે ને અપયશ પામે છે.માટે તું આ વિચારને છોડી દે.હે સમર્થ,તું તારા

આત્માની દિવ્યતાને ને શરીરની રચનાને તત્ત્વપૂર્વક સાંભળ.પૂર્વે,અમે તને મહેશ્વર પાસેથી તપપૂર્વક મેળવ્યો છે.

મહેશ્વરે,તારો પૂર્વકાય (નાભિથી ઉપરનો ભાગ) વજ્ર સમુહોથી રચ્યો છે ને તે ભાગ અસ્ત્રોથી ભેદી શકાય તેવો નથી.

ને તારો નીચેનો અર્ધદેહ ઉમાદેવીએ પુષ્પમય બનાવ્યો છે.ઉમા-મહેશ્વરથી ઘડાયેલો તારા દેહને લીધે 

તું દિવ્ય પુરુષ છે,માનવીય મનુષ્ય નથી.તારે ખેદ  કરવાની કે ભય રાખવાની જરૂર નથી.

May 17, 2024

ઝૂમતો-By અનિલ શુક્લ

 

ચૂપચાપ આવી કાનમાં,મધુરી તાનને મીઠાશથી છેડી ગયું છે કોણ?
ઉઠ્યા તાર ઝણઝણી દિલના,ને સૂરાવલી સંગીત ની વહેતી લાગે !!

વ્હાણું તો હજી થયું નથી,ને વાંસળી ની ધૂન રેલાવી ગયું છે કોણ ?
નથી ફૂંક,નથી પવન, તો ક્યાંથી સૂરાવલી સંગીત ની વહેતી લાગે ?

આંખ તો હજી ખોલી નથી ને,આવીને ભભૂતિ લગાવી ગયું છે કોણ?
લેપાઈ ગયેલો એ પવન,આશ્ચર્યમાં કે સ્તબ્ધ બની ગયો લાગે !!

રહી નથી શિકાયત કોઈ,તકરાર પણ કેવી? આવી જ ગયા તો જશો નહિ,
ના છોડજો,રહી જાજો,જૂઓ,ને,આ અનિલ ઝૂમતો ને મગન થયેલો લાગે!!

અનિલ શુક્લ 
18 નવેમ્બર 2014

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-519

 

અધ્યાય-૨૫૦-કર્ણનો દુર્યોધનને ઉપદેશ 


II कर्ण उवाच II राजन्नाद्यावगच्छामि तवेह लघुमत्वनाम् I किमत्र चित्रं यद्वीर मोक्षितः पाण्डवैरसि II १ II

કર્ણ બોલ્યો-હે રાજન,આજે આ પ્રસંગે,મને તો તમારી કશી નિર્બળતા જણાતી નથી,તમે એકાએક શત્રુઓના હાથમાં જઈ પડ્યા ને પાંડવોએ તમને છોડાવ્યા,તેમાં શું આશ્ચર્ય છે? ઘણીવાર રાજા યુદ્ધમાં પકડાઈ જાય તો તેમના સૈનિકો એને છોડાવે છે,કેમ કે જે સૈનિકો છે તેમણે રાજાના માટે યોગ્ય પ્રયત્ન કરવો જ જોઈએ.

આમ તમારા રાજ્યમાં રહેલા પાંડવોએ તમને છોડાવ્યા છે તેમાં તમારે શોક શા માટે કરવો જોઈએ?

May 16, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-518

અધ્યાય-૨૪૯-દુર્યોધનનો મરણ માટે નિર્ણય 


II दुर्योधन उवाच II चित्रसेनं समागम्य प्रहसन्नर्जुनस्तदा I इदं वचनमकीवमन्ववित्परवीरहा II १ II

દુર્યોધન બોલ્યો-ચિત્રસેનને અર્જુન કહેવા લાગ્યો કે-'હે વીર,તારે મારા ભાઈઓને છોડી દેવા ઘટે છે કેમ કે જ્યાં સુધી પાંડુપુત્રો જીવતા હોય ત્યાં સુધી કોઈ એમની દુર્દશા કરે તે બની શકે નહિ' હે કર્ણ,આપણે જે વિચાર કરીને 

હસ્તિનાપુરથી નીકળ્યા હતા કે-'સુખથી રહિત થયેલા તે પાંડવોને આપણે તેમની પત્ની સાથે જોઈશું' 

તે વિચાર તે સમયે ચિત્રસેને અર્જુનને કહી દીધો.ત્યારે હું શરમાઈ ગયો ને મને થયું કે ભૂમિ માર્ગ આપે તો સમાઈ જાઉં

પછી યુધિષ્ઠિર પાસે જઈ,ત્યાં અમને બંદીવાન તરીકે રજુ કરવામાં આવ્યા ને આપણી દુષ્ટ વાત વિષે પણ તેમને જાણ કરવામાં આવી.તે સમયે હું બેડીમાં હતો ને એવી દશામાં સ્ત્રીઓની ને દ્રૌપદી સમક્ષ મને યુધિષ્ઠિર પાસે લઇ જવામાં આવ્યો-આથી વિશેષ બીજું દુઃખ કયું હોઈ શકે?