અધ્યાય-૧૭૧-માયાવી યુદ્ધ
II अर्जुन उवाच II ततोSश्मवर्ष सुमहत्प्रादुरसित्समंततः I नगमात्रै शिलाखण्डैस्तन्मां दढमपीडयत II १ II
અર્જુન બોલ્યો-તે સમયે મારા પર ચારે બાજુથી પથ્થરોની મહાન વૃષ્ટિ ચાલી અને પર્વત જેવા શિલાખંડોવાળી તે
ઝડી મને અત્યંત પીડવા લાગી.પણ,તે વૃષ્ટિ પર મેં,મહેન્દ્રાસ્ત્રથી મંત્રેલાં વજ્ર જેવાં બાણોની ઝડી વરસાવી ને તે
પથ્થરોના ચૂરેચૂરા કરી નાખ્યા.આમ,તેનો નાશ થયો ત્યારે મારી સામે મહાપ્રબળ જળવર્ષા થવા લાગી,
ને જોશભેર પવન ફૂંકાવા લાગ્યો,જેના કારણે કશું જ ઓળખાતું નહોતું,