Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૦

પ્રકરણ-૧૪

 

॥ जनक उवाच ॥

प्रकृत्या शून्यचित्तो यः प्रमादाद् भावभावनः । निद्रितो बोधित इव क्षीणसंस्मरणो हि सः ॥ १॥

જે પ્રકૃતિ-સ્વભાવવત, શૂન્ય-ચિત્ત (ચિત્તવૃત્તિ વિહીન) છે,તેવો મનુષ્ય,

--પ્રમાદ (મજા) ને ખાતર જ જગતની વસ્તુઓની ભાવના કરતો હોય તેવું લાગે,અને,

--ભલે તે જાગતા જેવો લાગતો હોય છતાં તે, (જ્ઞાન નિંદ્રામાં) ઊંઘતો જ હોવાથી,(શૂન્ય-ચિત્ત હોવાથી)

--તેનું સંસારરૂપી બંધન ક્ષીણ થયેલું છે. (૧)

 


क्व धनानि क्व मित्राणि क्व मे विषयदस्यवः । क्व शास्त्रं क्व च विज्ञानं यदा मे गलिता स्पृहा ॥ २॥

જયારે મારી કામના (સ્પૃહા) નષ્ટ થઇ ગઈ છે,ત્યારે,

--મારા માટે ધન શું? મિત્રો શું ? વિષયો રૂપી ચોર શું ? શાસ્ત્ર શું ? કે વિજ્ઞાન શું ? (૨)

 

विज्ञाते साक्षिपुरुषे परमात्मनि चेश्वरे । नैराश्ये बन्धमोक्षे च न चिन्ता मुक्तये मम ॥ ३॥

સાક્ષી-પુરુષ “આત્મા” અને ઈશ્વર (પરમાત્મા) તેમજ નૈરાશ્ય (આશા વગરના) અને બંધન-મોક્ષ,

--આ બધા શબ્દોનું મને જ્ઞાન થયું છે, (આ સર્વનો હું જ્ઞાતા છું)

--એટલે મુક્તિને માટે મને હવે ચિંતા નથી. (૩)

 

अन्तर्विकल्पशून्यस्य बहिः स्वच्छन्दचारिणः । भ्रान्तस्येव दशास्तास्तास्तादृशा एव जानते ॥ ४॥

જે પુરુષનું અંતઃકરણ સંકલ્પ-વિકલ્પ વગરનું છે, (જેના અંતઃકરણ માં વિષય-વાસનાઓ નથી), અને ,

--ભલે તે બહારથી સ્વછંદ-પણે (સ્વેચ્છા-પૂર્વક) વિચરતો (ફરતો) હોય,તેમ છતાં તે જ્ઞાની છે.

--આવા જ્ઞાની પુરુષ ને જ્ઞાની પુરુષ જ જાણી શકે છે,અજ્ઞાની પુરુષ નહિ.(૪) 

 

પ્રકરણ-૧૪-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE