Nov 2, 2011

PAGE-9


આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
      PREVIOUS PAGE
        NEXT PAGE

જેનાં દર્શન કર્યા પછી બીજું કશું જોવાનું (દર્શન કરવાનું) રહેતું નથી,
જેના “સ્વ-રૂપે” થયા પછી,સંસારમાં ફરીથી જન્મ થતો નથી,અને
જેને જાણ્યા પછી બીજું કશું જાણવાનું રહેતું નથી,તે જ “બ્રહ્મ” (પરમાત્મા) છે,એમ નિશ્ચય કરવો. (૫૫)

જે વસ્તુ,આડી-અવળી, ઉપર-નીચે,ભરચક ભરેલી છે,જે સત્-ચિત્-આનંદ-રૂપ છે,
જે અદ્વૈત,અનંત,નિત્ય અને “એક” જ છે,તે જ “બ્રહ્મ”(પરમાત્મા) છે, એમ ચોક્કસ પણે જાણવું.   (૫૬)

“નેતિ-નેતિ”   -એટલે-   “તે બ્રહ્મ આવું નથી-બ્રહ્મ આવું નથી”
એમ- જડ વસ્તુઓ ના ત્યાગ કરવા રૂપે,વેદાંત જે જણાવે છે,
(જડ વસ્તુઓ (જગત-વગેરે) એ બ્રહ્મ નથી-એટલે તેનો ત્યાગ કરવાનું  વેદાંત જણાવે છે)
અને જે અવિનાશી,નિર્વિકાર,તથા અખંડ(પરમ) આનંદ રૂપે “એક” જ છે,તે જ “બ્રહ્મ” (પરમાત્મા) છે.
એમ ખાતરી પૂર્વક જાણવું.  (૫૭)

અખંડ (પરમ) આનંદ-રૂપ એ “બ્રહ્મ” ના,અમુક (થોડા) લેશ આનંદ નો આશ્રય કરી ને,
બ્રહ્મા (દેવો) વગેરે અને સર્વ જીવો ઓછા-વત્તા “આનંદી” થાય છે.(પરમાનંદી-નહિ) (૫૮)

સર્વ વસ્તુ, એ “બ્રહ્મ” થી યુક્ત છે,અને સર્વ વ્યવહાર એ ચૈતન્ય (બ્રહ્મ) ને લીધે જ થઇ રહ્યો છે.માટે,
જેમ, બધાય દુધમાં ઘી વ્યાપી ને રહેલું છે,તેમ,બધાયમાં બ્રહ્મ સર્વ વ્યાપક છે.  (૫૯)   

જે સૂક્ષ્મ નથી,સ્થૂળ નથી,ટૂંકું નથી કે લાંબુ નથી,વળી જે જન્મરહિત,અવિનાશી,નિર્વિકાર અને
રૂપ,ગુણ,વર્ણ તથા નામરહિત છે,તે જ “બ્રહ્મ” (પરમાત્મા) છે તેવો નિશ્ચય કરવો.   (૬૦)

જેના (જે બ્રહ્મ-પરમાત્મા ના) પ્રકાશથી સૂર્ય પ્રકાશે છે,
પણ સૂર્ય કે જેનાથી જગત ને પ્રકાશ મળે છે, તે સૂર્ય કાંઇ બ્રહ્મને પ્રકાશિત કરી શકતો નથી!!!!!,
એટલે,તે બ્રહ્મ (પરમાત્મા) જ “એક”માત્ર છે કે જેનાથી,આ બધું (સૂર્ય-વગેરે અને જગત) પ્રકાશી રહ્યું છે,
તે,જ માત્ર બ્રહ્મ (પરમાત્મા) છે એમ નિશ્ચય કરવો.  (૬૧)

AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
      PREVIOUS PAGE
        NEXT PAGE